અશ્વિની કુમાર News

લોકડાઉનમાં હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ : અશ્વિની કુમાર
લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે તમામ જગ્યાઓએ નવો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. નવી જીવનશૈલીને લોકો જવાબદારીથી અપનાવી રહ્યાં છે. પહેલા દિવસે થોડા ઘણા દ્રશ્યો ભીડના જોવા મળ્યા હતા, તેમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે. 
May 22,2020, 15:02 PM IST
આવતીકાલથી 9000 જેટલા આઉટલેટ્સ પર 2% વ્યાજના લોન માટે ફોર્મ મળશે : અશ્વિની કુમાર
રાજ્યમા કોરોના વાયરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.  
May 20,2020, 15:20 PM IST
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST
દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.
May 14,2020, 14:23 PM IST
ગુજરાત સરકાર આગેવાનો સાથે મળીને પરપ્રાંતિયોનું લિસ્ટ બનાવશે
સીએમઓના સચિવ અશ્વિની કુમારે કોરોના અને લોકડાઉન અંગેના અપડેટ્સ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી જે પોતાના વતનમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં સુધી પરપ્રાંતિય (migrants) જવા ઈચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઇકાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.
May 6,2020, 14:27 PM IST
ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 
May 5,2020, 14:43 PM IST
ગુજરાત સરકારની છૂટછાટોની જાહેરાત વચ્ચે જાણો પાન-મસાલાની દુકાન, બ્યૂટી પાર્લર ક્યારે
ગુજરાતમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસો સામે ગુજરાત સરકારનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાતમાં શુ છૂટછાટ અપાશે અને શુ નહિ તેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતના 6 નગરપાલિકામાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. 
May 3,2020, 15:42 PM IST
રાજ્ય સરકારનો નિર્ણય : 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. 
May 3,2020, 15:33 PM IST
અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત, આજે સુરત-અમદાવાદથી ટ્રેન
લોકડાઉન લાગ્યા બાદ દરેક રાજ્યમાં પરપ્રાંતીયોને કેન્દ્ર સરકારે રાહત આપતા સમાચાર આપ્યા હતા. તેઓને પોતાના વતન જવાની છૂટ આવી હતી. આ માટે જે તે રાજ્યોને વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું હતું. ત્યારે આખરે ગુજરાતમાંથી પરપ્રાંતીયોને લઈ જવા માટે ટ્રેન નીકળવાની છે. બે દિવસમા મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ જવા માટે આરજી કરી હતી. ત્યારે સુરત અને અમદાવાદ સ્ટેશન પરથી આજે ટ્રેનો દોડાવાની છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો 079-23251900 પર કોલ કરે. આજે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જઈ રહી છે. તો અમદાવાદથી 2 ટ્રેન ઉત્તરપ્રદેશ જઈ રહી છે. પરપ્રાંતીય મજૂરો માટે 1077 નંબર પર કોલ કરવાનો રહેશે. 1077 પર કોલ કરી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
May 2,2020, 15:10 PM IST
વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 
Apr 30,2020, 14:21 PM IST

Trending news