કિરીટ પટેલ News

ચૂંટણી પ્રચાર ટાંણે જ કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવાના કામે લાગ્યું ભાજપ
અલ્પેશ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ આપી શકે છે તેવી ચર્ચાઓ ગુજરાતના રાજકારણમાં દરેક કાને પહોંચી ગઈ છે. ત્યારે પીએમ મોદીના આગમનના દિવસે જ કોંગ્રેસ તૂટી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અુસાર, ઓપરેશન અલ્પેશ ઠાકોર રાધનપુરમાં ઘડાયું હતું. કહેવાય છે કે, ઉ.ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ આ ખેલ પાડ્યો હતો. તો 2019ની ચૂંટણીમાં તોડજોડનું રાજકારણ ચરણસીમાએ પહોંચેલું જોવા મળ્યું છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે એક સાંધો ત્યાં તેર તૂટવા જેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. હાલ, તોડજોડના રાજકારણમાં અલ્પેશ ઠાકોર સૌથી મોટું ઉદાહરણ છે, પણ છેલ્લા કેટલાક કલાકોમાં અનેકોએ પક્ષપલટો કર્યા છે. જેમાં ભાજપ કોંગ્રેસના ગઢના અનેક કાંગરા ખરવામાં સફળ રહ્યું છે. 
Apr 10,2019, 9:17 AM IST

Trending news