ચેતવણી News

બનાસકાંઠા નજીક 14 કિ.મી. ઘેરાવાવાળું તીડનું ટોળું, પાકને કરી શકે છે નુકાસન
Dec 24,2019, 12:56 PM IST
Zee 24 Kalakનો ખુલાસો: અમેરિકાની સંસ્થાએ તીડના હુમલાની આપી હતી ચેતવણી
ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં નાપાક તીડની આતંકી (Loctus attack) સેના ખેડૂતોના પાકનો ખાતમો બોલાવી રહી છે ત્યારે આપણી ચેનલ ZEE 24 કલાકે મોટો ખુલાસો કરવા જઈ રહી છે. આ ખુલાસો કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગની ઊંઘ ઉડાડી દેશે. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પર તીડની નાપાક સેના હુમલો કરવા માટે ઉછરી રહી છે તેવી માહિતી સંયુક્ત રાષ્ટ્રસંઘ (United nations) સાથે જોડાયેલી કૃષિ સંસ્થાએ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ ઊંઘતા રહ્યા અને તીડની આતંકી સેનાએ ગુજરાતનાં ખેતરોમાં તબાહી મચાવી દીધી. UNએ 4 ડિસેમ્બરે જાહેર થયેલા સત્તાવાર બુલેટીનમાં ભારત પર ખતરો હોવાનું જણાવાયું હતું. જો તંત્રએ આ આગાહીને ગંભીરતાથી લઇ કામગીરી કરી હોય તો તીડનો આતંક અટકાવી શકાયો હોત. ભારતમાં હાલ તીડના આક્રમણથી 34074 હેક્ટરના પાકને તીડથી ખતરો હોવાનું અનુમાન છે.
Dec 24,2019, 10:11 AM IST

Trending news