સંબોધન News

આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવા જરૂરી: અમિત શાહ
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાત્મા મંદિરમાં હાજર રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાનું સંબોધન કરતા કહ્યું કે, 2022 સુધીમાં દરેક પાસે ઘર હશે... શૈચાલય બનાવી રહ્યાં છીએ... વીજળી ન હતી વીજળી આપી... કેટલાક લોકો હજુ દેશમાં ગરીબ હોવાની, ખાવાનું ન મળતું હોવા વાત કરી રહ્યા છે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે આજે ભારત પાસે સૌથી વધુ ડોક્ટર છે. સૌથી વધુ યુવાનો છે. દેશ 130‌ કરોડનું માર્કેટ છે. જે દેશ પાસે 130 કરોડનું માર્કેટ હોય તે કોઈ પણને ઝુકાવી શકે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે નિરાશાનો વેપાર કરનારાથી યુવાનો બચવું જોઈએ... આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવો‌ જરૂરી છે. લેકાવાળામા 100 એકર જમીન પર જીટીયુ યુનિવર્સિટીનુ નિર્માણ થશે.
Jan 11,2020, 18:55 PM IST
વિમો હોય કે ના હોય, સરકાર દરેક ખેડૂતને કરશે મદદ: CM રૂપાણી
અમરેલીમાં અમર ડેરી ખાતે યોજાયેલ સહકાર પરિસંવાદ સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી હતી. મુખ્યમંત્રી સાથે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, નાફેડના અધિકારીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આ સમારોહને સંબોધન કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, નવા વર્ષમાં ભગવાન રામના મંદિરનો ચુકાદો શુભ શરુઆત છે. સહકાર ક્ષેત્રમાં હોલેસ્ટિક ડેવલોપમેન્ટ અને પરિસંવાદ આજની જરૂરિયાત પોસી રહી છે. ભગવાન રામ લંકામાં લડાઇ કરવા ગયા ત્યારે ખિસકોલીનો પણ સહકાર હતો. સહકારની સાથે સ્વરાજ્યની ભાવના છે. ખેડૂતો અને ગરીબો માટે આ પરિસંવાદ મારફત આગળ વધી શકીશું. રાષ્ટ્રીય ફલકમાં ગુજરાત સૌથી આગળ છે. બધા સાથે મળી વિકાસ કરીએ. ખેડૂતોના હિત ધ્યાનમાં રાખી અનેક નિર્ણય કર્યા છે. 3 વર્ષથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છીએ. ભેજ વાળી મગફળી હોય તો ચિંતા ન કરવી બીજી વખત મગફળીની ખરીદી ખેડૂત પાસેથી સરકાર કરશે.
Nov 20,2019, 14:32 PM IST

Trending news