Crushed News

જૂનાગઢના વિસાવદરમાં જર્જરિત મકાનની છત પડતા પરિવાર દટાયો, માતા પુત્રનું મોત
વિસાવદરમાં વર્ષો જૂનું જર્જરિત મકાનની છત ગઇકાલે બુધવારે રાત્રે ધરાશાયી થતા માતા પુત્રનું ઘટના સ્થળે કાટમાળમાં દબાઇ જવાનાં કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે છત ધરાશાયી થતા આસપાસમાંથી લોકો એકત્ર થયા હતા અને દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે માતા પુત્ર બંન્નેના મોત નિપજ્યા હતા. ગત્ત રાત્રે વિસાવદરના રેલવે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામાં રહેલા દિનેશભાઇ મકવાણાના કાચા મકાનની છત અચાનક પડી ગઇ હતી. જેથી ગરમાં રહેલા દીવ્ય દિનેશ મકવાણા (ઉં.વ 11) અને તેની માતા રીનાબેન દિનેશભાઇ મકવાણાનું કાટમાળમાં દબાઇ જવાનાં કારણે મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઇ અને મોટા પુત્ર દિપેશને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Oct 22,2020, 21:22 PM IST

Trending news