Lockdown extended 0 News

નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે
નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારે રાજ્ય સરકાર પર છૂટછાટ નિર્ણય કરે તેવુ સૂચવ્યું છે. કન્ટેન્મેન્ટ અને નોન-કન્ટેન્ટમેન્ટ ઝોન આધારિત નિર્ણયો થશે. ગાઈડસાઈન અનુસાર, આવતીકાલે તમામ શહેરોના કલેક્ટર, કમિશનર ડીડીઓ બધા સાથે મળીને પોતાના ઝોનની માહિતી આપશે. આવતીકાલે રાજ્ય સરકાર તેને ફાઈનલ કરશે. નોટિફિકેશનનો અમલ મંગળવારથી શરૂ થશે, આવતીકાલે લોકડાઉન 4ના નિયમો જાહેર કરાશે. તેમણે કહ્યું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આવતીકાલે નક્કી કરાશે. 
May 18,2020, 6:14 AM IST
ગુજરાત સરકારે જાહેર કરેલી 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ
May 15,2020, 21:36 PM IST
દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.
May 14,2020, 14:23 PM IST
અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરો
May 10,2020, 18:33 PM IST
અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા
અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. તો સાથે જ અત્યાર સુધી કુલ 338 મોત નોંધાયા છે. ગુજરાતનું મેગા સિટી અમદાવાદ (Ahmedabad) એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોના કાબૂ બહાર ગયો છે. અહી કેસનો આંકડો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના દરેક ઝોનમાં કેટલા કેસ થયા છે તે જાણી લેવુ એક અમદાવાદી તરીકે જરૂરી છે. તમે તમારા ઝોન અહી અમદાવાદના સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોનના આંકડા આપ્યા છે. જેમાં કયા ઝોનમાં હાલ કેટલા કેસ છે, કેટલા લોકોના મોત નિપજ્યા છે અને કેટલાક દર્દીઓ રિકવર થયા છે તેની તમામ માહિતી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના આજે સવારે 9 વાગ્યા સુધીના વિસ્તાર આંકડા આ મુજબ છે. વાચકોએ નોંધ લેકી આ માત્ર અમદાવાદ શહેરના જ આંકડા છે, તેમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી કરાયા. 
May 9,2020, 17:44 PM IST
પટેલ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના કપરા કાળમાં બન્યા છે ફ્રન્ટ વોરિયર્સ
કોરાનાની સંકટની આ ઘડીમાં આરોગ્ય કર્મચારીઓ પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ પરિવારની ચિંતા કર્યા વિના દેશના નાગરિકોની જીવ બચાવવા મેદાને છે. કોરોના સામેની લડાઇમાં ઘણા આરોગ્ય કર્મચારી પોલીસ અને શિક્ષક સુધીના લોકો સંક્રમિત થયા છે અને હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યાં છે. તેઓને પરિવાર ચિંતામાં છે, પણ હજુ આ કોરોના વોરિયર્સે (corona warriors) પાછુ વળીને જોયુ નથી. આવા જ એક પટેલ પરિવારની વાત આપણે કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આતરોલ ગામના પટેલ પરિવારની ખેતી સાથે સંકળાયેલા આ પરિવારના ત્રણ સભ્યો સરકારી કર્મચારી છે. જેઓ હાલ કોરોનાના કપરા કાળમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
May 3,2020, 9:00 AM IST
સુરતથી નીકળેલા યુપી-બિહારના પરપ્રાંતિયો રસ્તામાં અનેક સ્થળોએ અટવાયા
કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતીયોને જવાની છૂટછાટ આપવામાં આવી ત્યારથી તેઓ પોતાના વતન જવા તત્પર બન્યા છે. પણ તેઓને વિવિધ પોતાના વતનમાં પહોંચવા માટે વિવિધ પ્રોસેસનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી વતન જવા નીકળેલા પરપ્રાંતયો (migrants) આજે વડોદરામા અટવાયા હતા. પોલીસ દ્વારા દરજીપુરા મેદાનમાં વાહનો રોકી દેવામા આવ્યા હતા. પાસ પરમીટ હોવા છતા વડોદરા પોલીસે રોકતા પરપ્રાંતીઓ રોષે ભરાયા હતા. પરપ્રાંતિયોની બસો અને ટ્રકો વડોદરા રોકવામા આવી હતી. યુપી બિહાર તરફ જવા નીકળેલા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ અકળાયેલા પરપ્રાંતિયો હાઈવે પર આવી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સોશિયલ મીડિયા માં વિડીયો વાઇરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું.
May 2,2020, 17:00 PM IST

Trending news