Phd News

નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.  
Mar 16,2019, 18:40 PM IST

Trending news