Rathyatra 2019 News

ભાલકા તીર્થ : રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, નોટ ગણવા મશીન લાવ
ગીર સોમનાથના વેરાવળમાં આવેલ પ્રસિદ્ઘ ભાલકા તીર્થ (bhalka tirth) માં આહીર સમુદાય (Ahir Samaj) દ્વારા સુવર્ણશીખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરા (Dayro)નું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં રાજભા ગઢવી (Rajbha Gadhvi) સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. નોટોનો વરસાદ એટલો થયો કે, નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. ઉલ્લેનનીય છે કે, પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલાના સ્થાન એવા ભાલકા તીર્થનું 12 કરોડના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. નૂતન મંદિર પર પ્રથમ ધ્વજારોહણ આહીર સમુદાય દ્વારા કરાયું હતું. 
Oct 14,2019, 8:36 AM IST
Photos : આહીર સમાજની રથયાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 1198 ફોર વ્હીલર-381
ગુજરાતના આહીર સમાજે (Ahir Samaj) આજે વર્લ્ડ રેકોર્ડ (World Record) સર્જયો છે. 1198 ફોર વ્હીલર અને 3811 બાઇક સાથે 310 કિલોમીટર સુધીની વિશ્વની પ્રથમ ધાર્મિક રથયાત્રા (Rathyatra) યોજવાનો રેકોર્ડ આહીર સમાજે આજે બનાવ્યો છે. ત્યારે આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (world book of record) માં સ્થાન મેળવ્યું છે. દ્વારકા (Dwarka) થી ભાલકા તીર્થ (bhalka tirth) સુધી શ્રીમદ ભાગવત ગીતાના સંદેશ સાથેની વિશાળ રથયાત્રાએ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. સુવર્ણશિખર ધર્મધજા મહોત્સવ અંતર્ગત આ રેલી યોજાઈ હતી. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની 6 સભ્યોની ટીમ સતત સાથે રહી હતી, અને તેઓએ સમગ્ર રેલીનું નિરીક્ષણ કર્યું હતું. જુદા જુદા 5 સ્થળોએ વાહનોની ગણતરી કરાઈ હતી. જેના બાદ આજે વર્લ્ડ રેકોર્ડ બનાવીને આહીર સમાજે ફરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
Oct 13,2019, 13:24 PM IST
અષાઢી બીજ - 400 વર્ષ જૂની પરંપરાને સાચવે છે ગુજરાતનું આ ગામ, વહુઓ નાંખે છે
Jul 5,2019, 12:17 PM IST
શું તમને ખબર છે કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે?
142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
Jul 5,2019, 8:42 AM IST
અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી
આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
Jul 4,2019, 13:59 PM IST
Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનન
Jul 4,2019, 12:12 PM IST
અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ
આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. તો 45 સ્થળોએ 94 સીસીટીવી કેમેરાથી રથાયાત્રા પર નજર રખાશે. ત્યારે રથયાત્રાનો રુટ શું રહેશે અને રથયાત્રાને પગલે આવતીકાલે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી હતી.
Jul 3,2019, 16:05 PM IST
કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા વસંત-રજબનું સ્મારક ક્યાં બનાવમાં આવ્યું
અમદાવાદ: 142મી રથયાત્રા નિમિતે વસંત રજબનના પરિવારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક વસંત રજબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રજબ અલીનું સ્મારક ક્રાઈમબ્રાંચ ખાતે બનાવામાં આવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાં વસંત રજબના પરિવાર સાથે પોલીસ અધિકારીયોએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટયા હતા ત્યારે વસંત રજબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રજબ સ્મારક પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બંનેનું સ્મારક બનાવામાં આવ્યું.પહેલી જુલાઈ 2015માં વસંત રજબ સ્મારક બનાવામાં આવ્યું હતું. 1 જુલાઈએ કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન છે.
Jul 1,2019, 13:35 PM IST

Trending news