રથયાત્રા પહેલા 22 કિમીના રુટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, CP પણ રહ્યા હાજર

142મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. કુલ 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને આગમચેતીની તમામ તૈયારીઓ કરી હતી. 
રથયાત્રા પહેલા 22 કિમીના રુટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, CP પણ રહ્યા હાજર

મૌલિક ધામેચા/અમદાવાદ :142મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. કુલ 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને આગમચેતીની તમામ તૈયારીઓ કરી હતી. 

મહારાષ્ટ્રમાં વરસાદથી ગુજરાતની ટ્રેનોને અસર : જુઓ કઈ ટ્રેન કેન્સલ થઈ, અને કઈ મોડી પડશે

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ થયેલું પોલીસના ગ્રાન્ડ રિહર્સલ સીપી એ.કે. સિંધની અધ્યક્ષતામાં થયું હતું. રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી. રથયાત્રાના રૂટ પર આજે રિહર્સલને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. 

https://lh3.googleusercontent.com/-24l-rIvPIXI/XRmJN3WpBoI/AAAAAAAAH40/6iJ8Y-5YTb4tfGIrIabi1cJ5GnoK-34tQCK8BGAs/s0/Rathyatra_rehalsal2.JPG
 
8 આઈજી, 23 ડીસીપી, 44 એસીપી અને 119 પોલીસ ઇન્સ્પેકટર્સ આ રુટ પર તૈનાત કરાયા છે. તો પોલીસ અને હોમગાર્ડ જવાન સહિત કુલ 25 હજાર પોલીસ ખડેપગે સુરક્ષામાં રહેશે. એસઆરપી અને સીઆરપીએફ, એનએસજી કમાન્ડોની 37 ટૂકડી તૈનાત કરાઈ છે. રુટ પર આવતા 7 પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરાશે.

ઉલ્લેખનીય છે કે,ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રૂટ પર ગઈકાલે આરએએફએ પેટ્રોલિંગ કર્યું. રૂટ પેટ્રોલિંગમાં 15થી વધારે ટુકડીઓ જોડાઇ હતા. જેમાં 80થી વધારે જવાનો હાજર રહ્યા હતા. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.  રથાયાત્રાને લઇને અખાડા અને કરતબબાજો છેલ્લી ઘડીએ પુરજોશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલા મહાબલી અખાડાએ લાઠી દાવ, બરછી દાવ, માથા પર ઈંટ ફોડવી અને જમ્પ દાવની યુદ્ધના ધોરણે પ્રેક્ટિસ શરૂ કરી છે. પ્રેક્ટીસમાં બાળકો, યુવાનો, કરતબબાજો અને બોડી બિલ્ડીંગના રમતવીરો પણ ભાગ લઇ રહ્યા છે. રાયપુરમાં આવેલો મહાબલી અખાડો વર્ષ 1949થી રથયાત્રાનો ભાગ બની રહ્યો છે અને આજે પણ અવિરત કાર્યરત છે. રથયાત્રામાં અખાડાની સાથે સાથે મલખમના કરતબો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news