ઋષિ કપૂર News

સત્ય આવ્યું સામે... બિગબીએ આખરે કહ્યું કે ઋષિ કપૂરને હોસ્પિટલમાં કેમ મળવા ન ગયા
May 1,2020, 18:29 PM IST
જાણો કેમ Rishi Kapoor એ કહ્યું હતું, ''માતા-પિતાએ રાખવું ન જોઇએ બાળકોનું નિક નેમ'
Apr 30,2020, 19:50 PM IST
સામે આવી હોસ્પિટલના બિછાને પડેલા ઋષિ કપૂરના અંતિમ videoની ખરી હકીકત
બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નું આજે 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 2018થી લ્યૂકેમિયા (રક્તનું કેન્સર)થી પીડિતા હતા. તબિયત બગડ્યા બાદ તેઓને બુધવારે એચ.એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે ત્રણ મહિના પહેલા ઋષિ કપૂરના બહેન રિતુ નંદાનું પણ કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારે હાલ ઋષિ કપૂરના નિધનથી તેમના ફેન ગમગીન બની ગયા છે. ઋષિ કપૂરના નિધન બાદ તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો તેમના મૃત્યુના થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં એક શખ્સ તેમની પાસે બેસ્યો છે, અને તે ગીત ગાઈને તેમના આર્શીવાદ મેળવી રહ્યો છે. જોકે, હોસ્પિટલના બિછાનેથી તેમનો અંતિમ વીડિયો કહેવાતા આ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે. 
Apr 30,2020, 18:11 PM IST
આખરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની અધૂરી રહી ગઈ આ ઈચ્છા...
બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ આજે એટલે કે 30મી એપ્રિલના રોજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર આવ્યાં. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કરી અને અનંતની યાત્રાએ નિકળી પડ્યાં. સમગ્ર દેશ આ સમાચારથી આઘાતમાં છે. 70ના દાયકાના શાનદાર અભિનેતા ઋષિ કપૂર આ દુનિયા છોડીને જતા રહ્યાં. સપ્ટેમ્બરમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ કરાવીને ઋષિ કપૂર જ્યારે અમેરિકાથી પાછા ફર્યા તો બધાને લાગ્યું કે તેઓ ઠીક છે. પરંતુ કોને ખબર કે આ સિતારો હવે અસ્ત થવાનો છે. ઋષિ કપૂરે પોતાની કેરિયરમાં અનેક સફળતાઓ મેળવી પરંતુ અંગત જીવનમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. સારવાર કરાવીને જ્યારે ઋષિ કપૂર પાછા ફર્યા તો લાગ્યુ હતું કે તેમનું આ અધૂરું સપનું હવે પૂરું થશે. પરંતુ લોકડાઉને આખો ખેલ બગાડી નાખ્યો. ઋષિ કપૂરનું આ સપનું શું હતું તે જાણીએ. 
Apr 30,2020, 13:19 PM IST

Trending news