શ્રીલંકા: ફરી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું કોલંબો, મૃત્યુઆંક 207 થયો, સમગ્ર દેશમાં કરફ્યુ

શ્રીલંકાની રાજધાની કોલંબો આજે સીરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. થોડીવાર પહેલા ફરી બોમ્બ વિસ્ફોટ થયો હતો અને હવે ફરીથી 8મો વિસ્ફોટ થયો. આ 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયાં. આજ સવારે કોલંબોના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલોમા થયેલા 6 બોમ્બ વિસ્ફોટમાં 207 લોકોના મોત થયા છે. 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થતા હવે આ મૃત્યુઆંક વધીને 207 પર પહોંચ્યો છે. 

શ્રીલંકા: ફરી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું કોલંબો, મૃત્યુઆંક 207 થયો, સમગ્ર દેશમાં કરફ્યુ

નવી દિલ્હી: શ્રીલંકાની રાજધાની કોલંબો આજે સીરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. સાતમો અને આઠમો બોમ્બ વિસ્ફોટ થોડા સમયના અંતરે જ થયો. સાતમા બોમ્બ વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા જ્યારે આઠમા બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ પ્રાપ્ત થયા નથી. આજ સવારે કોલંબોના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલોમા થયેલા 6 બોમ્બ વિસ્ફોટ થયા હતાં. અત્યાર સુધી મૃત્યુઆંક 207 થયો છે. જેમાં 35 વિદેશી પણ સામેલ છે. આ વિસ્ફોટ ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર દરમિયાન કરાયા છે. શ્રીલંકાની પોલીસ હાલ હાઈ એલર્ટ પર છે. આ સાથે જ સેનાને પણ વિસ્તારમાં તહેનાત કરાઈ છે. આ બોમ્બ વિસ્ફોટો બાદ શ્રીલંકન સરકારે રવિવાર સાંજે 6 કલાકથી સોમવાર સવાર 6 કલાક સુધી સમગ્ર દેશમાં કરફ્યુ જાહેર કર્યો છે. 

અત્યાર સુધી આ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 207 લોકોના મોત થયા છે. જેમાં 35 જેટલા વિદેશીઓ પણ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી. છ બોમ્બ વિસ્ફોટોમાંથી 3 કોલંબોના ચર્ચ અને 3 વિસ્ફોટ હોટલોમાં થયા હતાં. આ 6 વિસ્ફોટોમાં 160 લોકોના મોત થયા હતાં. આ સાથે જ તેમાં 300થી વધુ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. 

અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા છે. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી. છ બોમ્બ વિસ્ફોટોમાંથી 3 કોલંબોના ચર્ચ અને 3 વિસ્ફોટ હોટલોમાં થયા હતાં. આ 6 વિસ્ફોટોમાં 160 લોકોના મોત થયા હતાં. બ્લાસ્ટ બાદ શ્રીલંકાની સરકારે સોશિયલ મીડિયા અને મેસેજિંગ સર્વિસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે નાઈટ કર્ફ્યુની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ વિસ્ફોટોની જવાબદારી લીધી નથી. 

જુઓ LIVE TV

શ્રીલંકામાં સવારે જે છ જગ્યાઓ પર બોમ્બ વિસ્ફોટ થયા તેમાં સેન્ટ એન્થની ચર્ચ, નેગોમ્બો વિસ્તારના સેબિસ્ટિયન ચર્ચ, પૂર્વ શહેર બાટ્ટિકોલાઆના ચર્ચમાં વિસ્ફોટ થયા. આ ઉપરાંત જે હોટલોને નિશાન બનાવવામાં આવી તેમાં ધ શાંગરીલા, ધ સિનામોન ગ્રેન્ડ, અને ધ કિગ્સબરી સામેલ છે. સાતમો વિસ્ફોટ દેહીવાલા હોટલ સામે અને આઠમો વિસ્ફોટ પણ કોલંબોમાં પણ થયો છે. 

એએફપીના જણાવ્યાં મુજબ સૌથી વધુ લોકો કોલંબોમાં જ માર્યા ગયા છે. વડાપ્રધાને સુરક્ષા સમિતિની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે લોકો ઈસ્ટરની પ્રાર્થના માટે ચર્ચમાં ભેગા થયા હતાં. પોલીસના જણાવ્યાં મુજબ સ્થાનિક સમય મુજબ પહેલો વિસ્ફોટ સવારે 8.45 કલાકે થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news