પાકિસ્તાન નમ્યું, હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ

પાકિસ્તાનમાં બે માઇનોર હિન્દુ છોકરીઓને કથિત રીતથી નિકાહ કરાવનાર મૌલવીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ માઇનોર હિન્દુ છોકરીઓનું અપહરણ કર્યા બાદ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું.

પાકિસ્તાન નમ્યું, હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ

લાહોર: પાકિસ્તાનમાં બે સગીર વયની હિન્દુ યુવતીઓને કથિત રીતથી નિકાહ કરાવનાર મૌલવીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ સગીર વયની હિન્દુ યુવતીઓનું અપહરણ કર્યા બાદ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયામાં આવેલા એક સમાચાર અનુસારા આ સગીર વયની યુવતીઓએ પંજાબ પ્રાંતની એક કોર્ટથી સુરક્ષા અપીલ કરી હતી. જિયો ન્યૂઝની ઉર્દૂ વેબસાઇટ જંગ.કોમ અનુસાર કિશોરીઓને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની કોર્ટમાં સુરક્ષા માટે અપીલ કરી હતી.

તેમા કહેવામાં આવ્યું હતું કે, નિકાહ કરાવનાર મૌલવીને સિંધમાં ખાનપુરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ખાને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 13 વર્ષીય રવીના અને 15 વર્ષીય રીનાના વિસ્તારના પ્રભાવશાળી લોકોના એક સમૂહએ ઘોટકી જિલ્લા સ્થિત તેમના ધરેથી કથિત રીતથી અપહરણ કરી લીધું હતું.

ભારતે ઉઠાવ્યો ધર્મપરિવર્તનનો મુદ્દો
ભારતે પાકિસ્તાનની સાથે સિંધ પ્રાંતમાં બે હિન્દુ કિશોરીઓના કથિત અપહરણ અને તેમને જબરજસ્તી ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાના મુદ્દો રવિવારે ઉઠાવ્યો હતો. ત્યારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીની વચ્ચે આ મુદ્દાને લઇને શબ્દોનું યુદ્ધ છેડાઇ ગયું હતું.

સત્તાવરા સૂત્રોએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનને ‘નોટ વર્બલ’ રજૂ કરીને ઘટનાને લઇ તેમની ચિંતા જણાવી હતી અને લધુમતી સમુદાયોના લોકોની રક્ષા અને તેમની સુરક્ષા તેમજ કલ્યાણને વધારો આપવા માટે યોગ્ય પગલા ઉઠાવવાની વિનંતી કરી છે.

સ્વરાજે એક ટ્વિટમાં કહ્યું કે, તેમને ઘટના પર પાકિસ્તાનમાં, ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ એક અહેવાલ માગ્યો છે. પાતિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ મામલે પહેલેથી તપાસના નિર્દેશ જાહેર કરી ચુક્યા છે.

પાકિસ્તાની મીડિયામાં આવેલા સમાચારો અનુસરા સિંઘમાં દહરકી નગરની પાસે હાફિસ સલમાન ગામમાં રહેતી રીના અને રવીનાનું 20 માર્ચે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના મુસ્લિમ પુરૂષો સાથે લગ્ન કરાવતા પહેલા તેમને હિન્દુથી ઇસ્લામને ધર્મ અપનાવવા ફરજ પડી હતી.

સૂત્રોએ કહ્યું કે આ ઉપરાંત પાકિસ્તાની મીડિયામાં સિંઘના મીરપુરખાસની રહેતી હિંન્દૂ છોકરી શાનિયાનું અપહરણ અને જબરજસ્તી ધર્મ પરિવર્તનની સમાચાર પણ છે.

સુત્રોએ નવીનતમ મીડિયા સમાચારોના અહેવાલથી કહેવામાં આવ્યું કે, બંને છોકરીઓ પંજાબ પ્રાંતના રાહિમ યાર ખાન લઈ જવામાં આવી હતી.

સ્વરાજના ટ્વિટનો ઉત્તર આપતા ચૌધરીએ કહ્યું કે, મૈમ, આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે અને વિશ્વાસ રાખો આ મોદીનું ભારત નથી જ્યાં લઘુમતીઓને નિયંત્રણમાં રાખવામાં આવ્યા છે. આ ઇમરાન ખાનનું ‘નવું પાકિસ્તાન’ છે જ્યાં અમારા ધ્વજનો સફેદ રંગથી અમને બધાને સમાન રૂપથી પ્રેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news