PM મોદી-શી જિગપિંગની વચ્ચે આર્ટિકલ 370 પર નહીં થાય ચર્ચા, આતંકવાદ પર થશે વાત

પીએમ નરેન્દ્ર મોદીની સાથે બીજા અનૌપચારિક શિખર સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ (Xi Jinping) ભારત આવી રહ્યાં છે. 11-12 ઓક્ટોબરના મહાબલીપુરમમાં આ બેઠક યોજાશે

PM મોદી-શી જિગપિંગની વચ્ચે આર્ટિકલ 370 પર નહીં થાય ચર્ચા, આતંકવાદ પર થશે વાત

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની સાથે બીજા અનૌપચારિક શિખર સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ (Xi Jinping) ભારત આવી રહ્યાં છે. 11-12 ઓક્ટોબરના મહાબલીપુરમમાં આ બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શી જિગપિંગની યાત્રા દરમિયાન બંને નેતાઓની મુલાકાત દરમિયાન ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થશે. બોર્ડર પર શાંતિ, સંવાદિતા બનાવી રાખવા પર થઇ શકે છે. ભારત-ચીન આગામી સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ મુલાકાત (SPM) પર નિર્ણય લઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દા પર કોઇ ચર્ચા થશે નહીં કેમ કે, આ ભારતનો આંતરિક મામલો છે. આતંકવાદના મુદ્દા પર વ્યાપક ચર્ચા થવાની આશા છે પછી ભલે તે ક્ષેત્રીય આતંકવાદ હોય અથવા તો વૈશ્વિક. ખાસ કરીને આતંકવાદીઓને ટ્રેનિંગ, ધિરાણ અને સમર્થન આપનાર લોકોના મુદ્દા પર વાત થશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને શી જિગપિંગની વચ્ચે શાંતિ, વ્યાપાર, રક્ષા અને સુરક્ષા, દ્વિપક્ષીય મુદ્દો, સીબીએમ, ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

આ મામલે બંને દેશના નેતાઓની મીટિંગને લઇને વિદેશ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે, વડાપ્રધાનના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ (Xi Jinping) બીજા અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચેન્નાઇ આવશે. તે પહેલા ભારતમાં ચીનના દૂત સુન વાઇડોંગે કહ્યું કે, અમારા નેતાઓના નેતૃત્વમાં વર્તમાન દોરમાં ચીન અને ભારતના સંબંધોમાં સતત પ્રગતિ થઇ છે. વુહાન અનૌપચારિક મીટિંગના સકારાત્મક પ્રભાવને આગળ વધારવાની દિશામાં આગળ આવશે.

ઉલ્લેખનીય છે કે, 2017ના ડોકલામ સંકટની પૃષ્ઠભૂમિમાં ગત વર્ષે વૃહાનમાં ભારત અને ચીનની વચ્ચે પહેલી અનૌપચારિક શિખર સંમેલન ચીનના શહેર વુહાનમાં યોજાયું હતું. તે દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક સલાહ આપી હતી. જેથી બીજી વખત ડોકલામ જેવું સંકટ ઉભુ ના થાય. આ ઉપરાંત સાંસ્કૃતિક સ્તર પર ભારત-ચીન હાઇ લેવેલ મેકેનિઝ્મનું ગઠન અને બંને દેશોના લોકોની વચ્ચે સંપર્ક વધારવા પર ભાર આપવાની સહમતિ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી કે ચીનના રાષ્ટ્રપતિએ દક્ષિણ ભારતની યાત્રા કરી છે. પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પહેલા પ્રીમિયર ઝૂ એનલાઇએ દક્ષિણ ભારતની યાત્રા કરી હતી. એનલાઇ 5 ડિસેમ્બર 1956માં બે દિવસીય પ્રવાસ પર તમિલનાડુ આવ્યા હતા. તે દરમિયાન મહાબલીપુરમ, જેમિની સ્ટૂડિયો અને એક કોચ ફેક્ટરી પણ જોવા ગયા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news