PM Kisan Yojana: PM કિસાન યોજનાનાં પૈસા નથી આવ્યા, તો તરત ડાયલ કરો આ નંબર

PM Kisan Yojana Installment: PM કિસાન યોજનાના પૈસા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે. આ ઈ-કેવાયસીથી લઈને તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરવા સુધીની હોઈ શકે છે. પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PM Kisan Yojana: PM કિસાન યોજનાનાં પૈસા નથી આવ્યા, તો તરત ડાયલ કરો આ નંબર

PM Kisan Yojana: ગુજરાતમાં 60 લાખ ખેડૂતો માટે આ ખુશખબર છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેઠે અલગ અલગ યોજનાઓ થકી પૈસા ચુકવવામાં આવે છે. એવી જ એક યોજના છે પીએમ કિસાન યોજના. જો તમે એક ખેડૂત છો અને તમારા ખાતામાં આ યોજના થકી સહાયનો હપ્તો જમા નથી થયો તો ચિંતા કરવાની જરૂર નથી. એક નંબર ડાયલ કરતાની સાથે જ આસાનીથી તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. PM કિસાન યોજનાના પૈસા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે. આ ઈ-કેવાયસીથી લઈને તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરવા સુધીની હોઈ શકે છે. પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ક્યારેક કોઈ ટેકનિકલ કારણોસર પણ પૈસા તમારા ખાતામાં જમા ના થયા હોય એવું પણ બની શકે છે. આવી સંજોગોમાં શું કરવું એ એક મોટો સવાલ છે ત્યારે તમારે મુંજાવાની જરૂર નથી. અહીં આપવામાં આવી છે તમારા કામની જાણકારી.

11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર

થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ખેડૂતોને આ ભેટ આપી હતી. આ વર્ષનો આ પહેલો અને 16મો હપ્તો હતો. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે આ પૈસા DBT દ્વારા લગભગ 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કરોડો ખેડૂતો લઈ રહ્યાં છે યોજનાનો લાભઃ
જ્યાં કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાના પૈસા આવવાથી ખુશ છે, તો કેટલાક ખેડૂતો એવા પણ હતા જેમના ખાતામાં આ રકમ પહોંચી નહોતી શકી. આવા ખેડૂતો ખૂબ જ નારાજ  થયા હતા અને સમજી નહોતા શકતા કે શા માટે તેમના ખાતામાં રૂ. 2,000 પહોંચ્યા નથી. આવા ખેડૂતો માટે સરકાર દ્વારા એક સુવિધા આપવામાં આવી રહી છે, જેના દ્વારા તેઓ તેમની સમસ્યાઓ દૂર કરી શકે છે. એક નંબર ડાયલ કરતાની સાથે તમારી સમસ્યાનું સરકાર લઈને આવી છે સમાધાન.

ખાતામાં સહાયની રકમ ન પહોંચવાના હોઈ શકે છે ઘણાં કારણોઃ
પીએમ કિસાન યોજનાના પૈસા તમારા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં ઈ-કેવાયસી, તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક ન થવુ અને નામ કે દસ્તાવેજોમાં વિસંગતતાઓ જેવી બાબતોનો સમાવેશ થાય છે. જો તમે બધું બરાબર ભર્યું હોય અને તમે આ યોજના માટે પાત્ર છો તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. સૌથી પહેલા તમે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો, અહીં તમે તમારા ખાતામાં પૈસા ન આવવાનું કારણ જાણી શકશો.

જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવી નથી, તો તમે pmkisan-ict@gov.in પર મેઈલ મોકલીને મદદ માટે પૂછી શકો છો. આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર - 155261 અને 1800115526, 011-23381092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતે મેળવવા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news