દેશની 40 ટકા સંપત્તિના માલિક છે લાઈનમાં ઉભેલાં આ 'ચાર' લોકો! બધા હાથ જોડીને ઉભા છે PM મોદીના દરબારમાં...

Richest Indians: રિપોર્ટના નિષ્કર્ષને સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે વર્ષ 2020માં ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા 102 હતી, જે 2022માં વધીને 166 થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી અમીર લોકોની સંયુક્ત સંપત્તિ 660 અબજ ડૉલર એટલે કે 54.12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ એક એવી રકમ જે પુરા કેન્દ્રીય બજેટના 18 મહિના કરતા વધુ સમય સુધી ફંડ આપી શકે છે.

દેશની 40 ટકા સંપત્તિના માલિક છે લાઈનમાં ઉભેલાં આ 'ચાર' લોકો! બધા હાથ જોડીને ઉભા છે PM મોદીના દરબારમાં...

Richest Indians: ભારતના એક ટકા અમીર લોકો પાસે દેશની કુલ સંપત્તિનો 40 ટકા ભાગ છે. ઓક્સફૈમ ઇન્ડિયાના રિપોર્ટ ‘સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટ’ અનુસાર, વર્ષ 2022માં દેશના 100 સૌથી અમીર લોકો પાસે 54.12 લાખ કરોડની સંપત્તિ છે, બીજા 10 સૌથી અમીર લોકો પાસે 27.52 લાખ કરોડની સંપત્તિ છે, વર્ષ 2021ના મુકાબલે તેમાં 32.8 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા પણ વધી છે. વર્ષ 2020માં આ આંકડો 102 હતો જે વધીને 2021માં 142 અને 2022માં 166 થઇ ગયો છે, તેના વિપરીત ભારતમાં 22.89 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે, જે દુનિયામાં સૌથી વધારે છે.

આ પણ ખાસ વાંચોઃ

સૌથી અમીર 21 ભારતીય અબજપતિઓ પાસે 70 કરોડ ભારતીયો કરતા વધારે સંપત્તિ છે. ઓક્સફૈમ ઇન્ડિયાના એક નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારી શરૂ થવાથી લઇને ગત વર્ષે નવેમ્બર સુધી ભારતમાં અબજપતિઓની સંપત્તિમાં 121 ટકા અથવા વાસ્તવિક રીતે કહીએ તો 3 હજાર 608 કરોડ રૂપિયા પ્રતિ દિવસનો વધારો જોવામાં આવ્યો છે. ઓક્સફેમ ઇન્ડિયાના નવા રિપોર્ટ “સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટ: ધ ઇન્ડિયા સ્ટોરી” અનુસાર, જ્યાં 2021માં માત્ર 5 ટકા ભારતીયો પાસે દેશમાં કુલ સંપત્તિના 62 ટકા કરતા વધારે ભાગ હતો, જ્યારે નીચેના 50 ટકા લોકો પાસે માત્ર 3 ટકા ધન હતું. રિપોર્ટ અનુસાર, ભારતમાં સૌથી અમીર 1 ટકા પાસે હવે દેશની કુલ સંપત્તિના 40 ટકાથી વધારે ભાગ છે જ્યારે અડધી વસતી પાસે માત્ર 3 ટકા સંપત્તિ છે.

આ પણ ખાસ વાંચોઃ

રિપોર્ટના નિષ્કર્ષને સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે વર્ષ 2020માં ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા 102 હતી, જે 2022માં વધીને 166 થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી અમીર લોકોની સંયુક્ત સંપત્તિ 660 અબજ ડૉલર એટલે કે 54.12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ એક એવી રકમ જે પુરા કેન્દ્રીય બજેટના 18 મહિના કરતા વધુ સમય સુધી ફંડ આપી શકે છે. આગળના વિશ્લેષણથી ખબર પડે છે કે જો ભારતના અબજપતિઓ પર તેમની પુરી સંપત્તિ પર 2 ટકાના દરથી એક વખત ટેક્સ લગાવવામાં આવે છે તો આ આગામી ત્રણ વર્ષ માટે દેશમાં કુપોષિત વસ્તીના પોષણ માટે 40 હજાર 423 કરોડ રૂપિયાની જરૂરિયાતને પૂર્ણ કરી શકાય. 

આ પણ ખાસ વાંચોઃ

સૌથી વધુ ટેક્સ કોણ આપે છે?
રિપોર્ટમાં વિશાળ અસમાનતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. 2012થી 2021 સુધીમાં, ભારતમાં માત્ર 1 ટકા વસતીએ બનાવેલી સંપત્તિનો 40 ટકા ભાગ ગયો છે અને 50 ટકા વસ્તી પાસે માત્ર 3 ટકા પૈસા ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અમીરો કરતાં ગરીબો અને મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ લાદી રહી છે. વર્ષ 2021-22માં કુલ 14.83 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 64 ટકા GST વસ્તીના 50 ટકા લોકો દ્વારા જમા કરવવામાં આવ્યા છે. અંદાજને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 33 ટકા GST મધ્યમથી 40 ટકામાંથી આવે છે અને ટોચના 10 ટકામાંથી માત્ર 3 ટકા આવે છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news