આકાશ અંબાણીના લગ્નમાં આલિયાની ક્લિક થયેલી આ તસવીરે પંચાતિયાઓના કાન કરી દીધા છે ઉંચા ! કારણ કે...

આકાશ અને શ્લોકાના લગ્નમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી

આકાશ અંબાણીના લગ્નમાં આલિયાની ક્લિક થયેલી આ તસવીરે પંચાતિયાઓના કાન કરી દીધા છે ઉંચા ! કારણ કે...

મુંબઈ : મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચના દિવસે લગ્ન હતા. આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દેશ-દુનિયાની ટોચની હસ્તીઓ આવી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ સેક્રેટરી જનરલ બાન-કી મૂન, તેમનાં પત્ની યુ સૂન, યુનાઈટેડ કિંગડમના પૂર્વ વડા પ્રધા ટોની બ્લેર અને તેમનાં પત્ની ચેરી બ્લેર, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા સહિતના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી. 

આ કાર્યક્રમમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સ હાજર રહ્યા હતા પણ સૌથી વધારે ધ્યાન લેટેસ્ટ લવબર્ડસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની હરકતોએ ખેંચ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ ફંક્શનમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે પહોંચતા જોવા મળે છે. જોકે આ વખતે આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં તેઓએ અલગઅલગ હાજરી આપી હતી. રણબીર આ લગ્નમાં તે કરણ જોહર અને અયાન મુખરજી સાથે શામેલ થયો જ્યારે આલિયા ભટ્ટ મોડી સાંજે વેડિંગમાં પહોંચી. આમ, આ વેડિંગમાં રણબીર અને આલિયાની એકસાથે એકપણ તસવીરો ક્લિક નથી થઈ. આ પરિસ્થિતિમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આલિયા અને રણબીર વચ્ચે કોઈ મોટો અણબનાવ થયો છે જેના પગલે તેઓ જાહેરમાં સાથે દેખાવાનું ટાળી રહ્યા છે.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. તો આલિયા પણ રણબીરના પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત કરતી જોવા મળી રહી છે. હવે માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ સગાઇ કરી લેશે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે. જોકે આ સંબંધનું ભવિષ્ય તો સમય જ બતાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news