Video : ફરી તુટી ગયું શાહિદનું દિલ, ટ્રેન્ડ થયું કબીર સિંહનું બ્રેકઅપ સોંગ

આ ગીતને શાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેયર કર્યું છે. આ ગીતને અરિજીત સિંહે ગાયું છે જ્યારે મિથુને કમ્પોઝ કર્યું છે. 

Video : ફરી તુટી ગયું શાહિદનું દિલ, ટ્રેન્ડ થયું કબીર સિંહનું બ્રેકઅપ સોંગ

મુંબઈ : શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ કબીર સિંહના કારણે ચર્ચામાં છે.  આ ફિલ્મનું ટ્રેલર અને પહેલું ગીત યુ ટ્યૂબ પર હિટ થઈ ગયું છે. આ ફિલ્મનું બીજું ગીત 'તુજે કિતના ચાહને લગે' રિલીઝ કરવામાં આવ્યું છે. આ બ્રેકઅપ સોંગ રિલીઝની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આ ગીતને 2.9 મિલિયન કરતા વધારે વ્યુ મળી ગયા છે. આ ગીતમાં શાહિદ અલગ જ અંદાજમાં જોવા મળે છે. 

આ ગીતને શાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેયર કર્યું છે. આ ગીતને અરિજીત સિંહે ગાયું છે જ્યારે મિથુને કમ્પોઝ કર્યું છે. 

શાહિદ આ ફિલ્મમાં એક ડોક્ટરનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કિયારા તેની પ્રેમિકા છે. કિયારાના લગ્ન બીજે થતા કબીર તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ખોટા રસ્તે ચડી જાય છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. સંદિપ રેડ્ડી વાંગ આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં શાહિદ એક ડ્રગ્સ એડિક્ટ અને દારુડિયો છે. આ ફિલ્મ તા. 21 જૂનના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. ફિલ્મમાં શાહિદ એક એવા પ્રેમીનો રોલ કરી રહ્યો છે જેનું દિલ તુટે છે અને પછી તેની જિંદગી અનોખો વળાંક લઈ લે છે. દિલ તૂટ્યા બાદ ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહેલા પ્રેમીના રોલમાં શાહિદે જીવ ફુંકી દીધો છે.

મૂળ આ ફિલ્મ રણવીર સિંહ કરવાનો હતો. ડાયરેક્ટર સંદીપ વાંગા અર્જુન રેડ્ડી ફિલ્મમાં રણવીર સિંઘને લેવા ઇચ્છતા હતા પરંતુ પદ્માવતી પછી પોતે નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ્સ ઓછા કરવા માગે છે એવું જણાવીને રણવીર સિંહે આ ફિલ્મ જતી કરી હતી. આ પછી ફિલ્મ સર્જકે શાહિદ કપૂરનો સંપર્ક સાધ્યો હતો અને શાહિદને આ સ્ક્રીપ્ટ પસંદ પડતાં એણે ફિલ્મ કરવાની હા પાડી હતી. પદ્માવતીમાં રાજપૂત રાજવીનો રોલ કર્યા બાદ શાહિદ માટે આ સાવ અલગ રોલ હતો કારણ કે એમાં નેગેટિવ શેડ્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news