Padma Shri Awards 2020: કંગના રનૌત, કરણ જોહર, એકતા કપૂર અને સુરેશ વાડકરને મળશે પદ્મ શ્રી

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ચાર લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. 
 

 Padma Shri Awards 2020: કંગના રનૌત, કરણ જોહર, એકતા કપૂર અને સુરેશ વાડકરને મળશે પદ્મ શ્રી

નવી દિલ્હીઃ ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોમાં એકતા કપૂર, કરણ જોહર, કંગના રનૌત અને સુરેશ વાડકરને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ક્લાસિકલ સિંગર છન્નૂલાલ મિશ્રાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. 

આ વાતની જાહેરાત થતાં સોશિયલ મીડિયા પર આ કલાલાકોને શુભેચ્છા આપનારની લાઇન લાગી છે. કંગના રનૌતે એક અખબારી યાદી જાહેર કરીને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. 

— Press Trust of India (@PTI_News) January 25, 2020

— Press Trust of India (@PTI_News) January 25, 2020

તેમણે કહ્યું છે, 'હું આ સન્માન મેળવીને વિનમ્ર છું. હું મારા દેશને ધન્યવાદ આપવા ઈચ્છીશ જેણે મને આ સન્માન આપ્યું છે. આ પુરસ્કાર હું દરેક તે મહિલાને, દરેક પુત્રીને, દરેક માતાને, અને દરેક મહિલા, જે આ દેશને શાનદાર બનાવવામાં મદદગાર છે, જે સપનાને પૂરા કરવાની હિંમત રાખે છે તેને સમર્પિત કરવા ઈચ્છુ છું.'

Padma Awards 2020: અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ 

મહત્વનું છે કે પદ્મ શ્રી દેશનું ચોથો સર્વોચ્ચ સન્માન છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news