લગ્ન કરવા જયપુર પહોંચ્યા Ranbir Kapoor અને Alia Bhatt!

કોરોના મહામારીના કારણે બંનેના લગ્ન ટળી ગયા નહીતર તે અત્યાર સુધી આલિયાના જીવનસાથી બની ચૂક્યા હોત. 

લગ્ન કરવા જયપુર પહોંચ્યા Ranbir Kapoor અને Alia Bhatt!

નવી દિલ્હી: બોલીવુડના બે સ્ટાર કપલ રણબીર કપૂર  (Ranbir Kapoor), આલિયા ભટ્ટ (Alia Bhatt), દીપિકા પાદુકોણ (Deepika Padukone), રણવીર સિંહ (Ranveer Singh) આજે જયપુરમાં છે. એવામાં સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સના ફોટા અને વીડિયો જોઇ એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયાબ ભટ્ટ (Alia Bhatt) જયપુરમાં લગ્ન કરવાના છે.  

આજે સવાર-સવારમાં પરિવારના સંગ રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ, રણબીર સિંહને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. ત્યારે તમામે વિચાર્યું કે લોકો ન્યૂ ઇયર વેકેશન માટે રવાના થયા છે. પરંતુ હવે દિવસમાં તમામને સાથે જયપુરમાં સ્પોટ કરવામાં આવ્યા તો આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. લોકોનું અનુમાન છે કે 'બ્રહ્માસ્ત્ર' સ્ટારના લગ્ન માટે અહીં હાજર છે.  

જોકે અત્યાર સુધી આ તમામની સાથે-સાથે યાત્રાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ આલિયા અને રણબીરના પ્રશંસક અનુમાન લગાવી રહ્યા છે કે યુગલ સાત જન્મોના બંધનમાં બંધાઇ શકે છે. 

જ્યારે રણબીર અને આલિયા ભટ્ટને તેમના પરિવારની સાથે  એરપોર્ટ પર જોવા મળ્યા. ત્યારે રણબીરની મા નીતૂ કપૂર, રિદ્ધિમા અને તેમની પુત્રી સમારા પણ સાથે હતી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને ફોટોગ્રાફરોથી ઘેરાયેલા રહ્યા. તે પહેલાં દીપિકા અને રણવીરને પણ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. રણવીરે કારનો દરવાજો ખોલ્યો અને તે મીડિયા સાથે વાત કર્યા વિના જતા રહ્યા. 

અહીં એક વાત પર ધ્યાન આપવા જેવી છે જ્યાં રણવીર અને દીપિકાને મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જોવા મળ્યા. તો બીજી તરફ આલિયા અને રણવીરને કલિના એરપોર્ટ પરથી એક પ્રાઇવેટ ઉડાન ભરી. તેમની સાથે કપૂર પરિવાર ઉપરાંત આલિયાની માતા સોની રાજદાન અને બહન શાહીન ભટ્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

હવે જયપુરમાં તમામને જોઇને ઘણા આશ્વર્ય વ્યક્ત કરી રહ્યા છે અને સ્ટાર કપલના લગ્નને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અહીં એક યૂઝરે લખ્યું છે કે 'આલિયા રણબીરના લગ્ન છે?...જયપુરમાં. તો બીજી તરફ એક અન્યએ લખ્યું 'આખરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની શરણાઇ ગૂંજવા લાગી.' 

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ પત્રકાર રાજીવ મસંદ સાથે એક ઇન્ટરવ્યુંમાં રણબીરે લગ્ન વિશે વાત કરી રહી અને જણાવ્યું હતું કે મહામારીના કારણે બંનેના લગ્ન ટળી ગયા નહીતર તે અત્યાર સુધી આલિયાના જીવનસાથી બની ચૂક્યા હોત. 

બંને સ્ટાર્સ ગત બે વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. રણબીરે મે  2018માં જીક્યૂ મેગેજીન સાથે એક ઇન્ટરવ્યુંમાં પહેલીવાર પોતાના સંબંધ વિશે વાત કરી હતી. તે જલદી જ પહેલીવાર અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત 'બ્રહ્માસ્ત'માં મોટા પડદા પર એકસાથે જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news