VIDEO : આવી ગયું છે સારા-સુશાંતની 'કેદારનાથ'નું ટ્રેલર,  જોઈને કહેશો જબરદસ્ત 

આ ફિલ્મ ઉત્તરાખંડમાં વર્ષ 2013માં આવેલા જળપ્રલય પર આધારિત છે

VIDEO : આવી ગયું છે સારા-સુશાંતની 'કેદારનાથ'નું ટ્રેલર,  જોઈને કહેશો જબરદસ્ત 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સુશાંત સિહ રાજપૂત અને સારા અલી ખાનની આગામી ફિલ્મ 'કેદારનાથ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. ટ્રેલરમાં સુશાંત અને સારાની કેમિસ્ટ્રી સારી જામે છે. આ ફિલ્મનું ટીઝર પણ લોકોને બહુ પસંદ પડ્યું છે. ગયા મહિને 29 ઓક્ટોબરે રિલીઝ થયેલા ટીઝરને અત્યાર સુધી 19,232,669 વાર જોવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. 

પાંચ વર્ષ પહેલા કેદારનાથમાં આવેલા પૂરની ઘટનાની પટકથા ધરાવતી ફિલ્મ ‘કેદારનાથ’ ટીઝર સામે આવતાં જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મ આવતા મહિને રિલીઝ થવાની છે. ઉત્તરાખંડમાં વર્ષ 2013માં આવેલા જળપ્રલય પર આધારિત ફિલ્મનો કેદારનાથના તીર્થ પુરોહિતોથી લઈને રાજકીય પાર્ટીઓ પણ વિરોધ કરી રહ્યા છે. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મના નાયક-નાયિકા વચ્ચે દર્શાવેલા અંતરંગ દ્રશ્યોને ધાર્મિક આસ્થા સાથે છેડછાડ ગણાવી છે.

વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મની સ્ટોરી સામે વાંધો ઉઠાવ્યો છે, તેમનું માનવું છે કે ફિલ્મ લવ જેહાદનું સમર્થન કરે છે. 7 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પૂરમાં ફસાયેલી હિંદુ યુવતીને મુસ્લિમ બચાવે છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news