ધ્રાંગધ્રા : નદી વચ્ચે ટ્રેક્ટરમાં ફસાયા 10 લોકો, રેસ્ક્યૂ કરવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. ત્યારે ધ્રાંગધ્રાના વાવડી ગામે ટ્રેક્ટરમાં 10 લોકો ફસાયા છે. આ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તેવુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. 
ધ્રાંગધ્રા : નદી વચ્ચે ટ્રેક્ટરમાં ફસાયા 10 લોકો, રેસ્ક્યૂ કરવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

મયુર સંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. ત્યારે ધ્રાંગધ્રાના વાવડી ગામે ટ્રેક્ટરમાં 10 લોકો ફસાયા છે. આ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તેવુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના વાવડી ગામે નદીમાંથી ટ્રેક્ટર લઈને જતા લોકો પાણીના વહેણમાં ફસાયા હતા. ત્યારે એક વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયો હતો, પણ બાકીના લોકો હજી પણ ટ્રેક્ટરમાં ફસાયેલા છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્રએ આ બચાવ કામગીરી માટે વાયુસેનાની મદદ માંગી હતી. ત્યારે ફસાયેલાને બચાવવા માટે હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

સુરેન્દ્રનગર જિલ્લામા અવિરત વરસી રહેલ વરસાદ ને પગલે સુરેન્દ્રનગરનો ધોળી ધજાડેમ તેમજ મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાથી નાયક ડેમના ૭ દરવાજા હાલ ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 

માલધારી 200 ભેંસો સાથે ફસાયા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના  ભોયકા ગામે વરસાદને પગલે રઘુભાઈ કરશનભાઈ ભરવાડ નામના માલધારી પોતાની ભેંસો સાથે પૂરના પાણીમાં ફસાયા હતા. મોડીરાત્રે તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ખડેપગે રહેલ એન.ડી.આર.એફની ટીમે રાત્રે ૨:૦૦ કલાકે રેસ્ક્યુ કરી તેઓને સહીસલામત બહાર કાઢ્યા હતા. ગામના લોકોના કહેવા મુજબ આ માલધારીએ મંદિરે આશરો લીધો હતો. ]

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news