Control Room: વાવાઝોડાને પગલે અમદાવાદ જિલ્લામાં તંત્ર સજ્જઃ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં આ નંબરો પર કરો ફોન

વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં જિલ્લા તંત્ર સજ્જ થઈ ગયું છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યાં છે.

Control Room: વાવાઝોડાને પગલે અમદાવાદ જિલ્લામાં તંત્ર સજ્જઃ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં આ નંબરો પર કરો ફોન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છેકે, વિનાશક તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. અને મધ્ય આંખ છૂટી પડી રહી છે. જોકે, સતર્કતાના ભાગરૂપે અમદાવાદ જિલ્લા અને શહેરમાં સરકારી તંત્ર કામે લાગી ગયું છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તો બીજી તરફ કલેક્ટરના આદેશથી ડિઝાસ્ટરની શાખાઓ પણ કામે લાગી ગઈ છે. તેના માટે અલગ અલગ સેન્ટરો ઉભા કરીને ત્યાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે.

તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમના આદેશાનુસાર અમદાવાદ જિલ્લાની ડિઝાસ્ટર શાખા દ્વારા વિવિધ કંટ્રોલરૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેના સંપર્ક નંબર નીચે મુજબ છે. સંભવિત વાવાઝોડા સમયે આપાતકાલીન પરિસ્થિતિમાં આ નંબરોનો સંપર્ક કરવા જણાવાયું છે.

ડિઝાસ્ટર વ્યવસ્થાપન સેલ
કંટ્રોલરૂમ -૦૭૯-૨૭૫૬૦૫૧૧
ટોલ ફ્રી નંબર-૧૦૭૭

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશન
ફ્લડ કંટ્રોલરૂમ- ૦૭૯-૨૫૩૫૩૮૫૮

ફાયર બ્રિગેડ
કંટ્રોલરૂમ - ૦૭૯-૨૨૧૪૮૪૬૬,૬૭,૬૮
ટ્રોલ ફ્રી-૧૦૧

કોવિડ-૧૯ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ - ૦૭૯-૨૫૫૦૭૦૭૬
ટ્રોલ ફ્રી-૧૦૪

આરોગ્ય વિભાગ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ -૦૭૯-૨૫૫૦૭૦૭૬

ફ્લડ સેલ સિંચાઈ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ -૦૭૯-૨૭૯૧૩૮૦૦

UGVCL હેલ્પલાઇન કંટ્રોલરૂમ-૮૯૮૦૦૩૧૦૩૬/
૯૮૭૯૬૧૮૩૧૫

વન વિભાગ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ-૭૯૨૯૭૦૧૦૮૩

-

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૌકતે વાવાઝોડાની સંભવિત સ્થિતિ ધ્યાને લઇ તાલુકા સ્તરે પણ વિવિધ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે

દસક્રોઇ - ૭૬૦૦૯૩૫૦૬૧

સાણંદ-૯૪૨૮૯૧૧૮૦૦

બાવળા-૯૪૨૭૦૬૯૨૮૯

ધોળકા-૯૭૨૨૮૮૧૮૧૧

ધંધુકા-૯૭૩૭૫૪૭૪૭૭

ધોલેરા-૯૪૨૭૨૬૭૩૨૦

વિરમગામ - ૭૯૮૪૮૭૦૮૬૫

માંડલ-૯૮૨૫૭૪૯૨૯૪/૬૩૫૨૭૯૧૬૯૨

દેત્રોજ-૯૪૨૭૦૦૭૮૩૩/૮૫૩૦૧૧૩૩૪૩
‌‌
ઉલ્લેખનીય છેકે, તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રે 9 વાગે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે વખતે તેની ગતિ પ્રતિ કલાક ૧૫૦થી ૧૭૫ કિલોમીટરની હતી. જેમાં સૌથી વધારે જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) એ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળી મૂક્યુ છે. મુખ્યમંત્રી રૂપાણી પોતે પણ કંટ્રોલરૂમથી અધિકારીઓનો સંપર્ક કરીને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. હવામાન ખાતાના અપડેટ અનુસાર, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. તો વેરાવળ-સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે. 

જોકે, વાવાઝોડાની અસરને પગલે આવેલાં વરસાદ અને તોફાની પવને કારણે અમદાવાદ શહેર અને જિલ્લામાં ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની અને ક્યાંક છાપરા કે પતરા ઉડી જવાની ફરીયાદો પણ ઉઠી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રિવરફ્રન્ટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ઇજનેર ખાતુ, એસ્ટેટ ખાતુ, ગાર્ડન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં વૃક્ષ પડે ત્યાં તત્કાલ રોડ ખુલ્લો કરવો વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ. ના ઈજનેર વિભાગ દ્વારા મેમ્કો ઉપરાંત મણિનગર, વિરાટનગર, ઉસ્માનપુરા, જોધપુર, જમાલપુર અને દુધેશ્વર ખાતે જ્યારે ગાર્ડન વિભાગ દ્વારા મેમ્કો ઉપરાંત દેડકી ગાર્ડન, મણિનગર, ચકુડીયા, નવદીપ હોલની બાજુમાં વનીકરણ ઓફીસ, વસ્ત્રાપુર લેક, જોધપુર અને સરદારબાગ તથા ફાયર વિભાગ દ્વારા પાલડી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેની અપડેટ સીધી રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news