અમદાવાદમાં IT ના દરોડા, જાણો જાણીતા બિલ્ડર સહિત કયા મોટા માથાઓની દિવાળી બગડી

Ahmedabad: દિવાળી અગાઉ અમદાવાદમાં ITનો સપાટો, બેથી ત્રણ બિલ્ડર ગ્રુપની ઓફિસોમાં ITનું સર્ચ ઓપરેશન. 150થી વધુ આઈટી કર્મીઓએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં IT ના દરોડા, જાણો જાણીતા બિલ્ડર સહિત કયા મોટા માથાઓની દિવાળી બગડી

ઝી બ્યૂરો, અમદાવાદઃ  આજે વહેલી સવારે જ અમદાવાદના કેટલાંક બિલ્ડરોને ત્યાં ત્રાટક્યું આઈટી. સર્જાયો ફિલ્મો જેવો સીન. ફિલ્મ સ્પેશિયલ છબ્બીસ જેવો માહોલ પણ જોવા મળ્યો. અમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા. સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો હતો. આઇટી વિભાગના 150થી વધુ અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. દિવાળી ટાણે દરોડાથી બિલ્ડરોમાં દોડધામ મચી ગઇ હતી.

અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સનું સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતા ના દરોડા પાડવામાં આવ્યાં છે.  ખાસ કરીને સાયન્સ સીટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ અનિલભાઈ પટેલ સહિત બે ડઝન સ્થળોએ તવાઈ બોલાવાઈ છે. એટલું જ નહીં અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર it ત્રાટકયુ છે. શિપરમ પરિસરની મુખ્ય ઓફિસમાં IT વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રૃપના માલિકો છે. અવિરત ગ્રૃપ પર પણ IT વિભાગે દરોડા પાડ્યા હતા. મોડી રાતથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

ઓગણજ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ શિપરમ પરિસરની મુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે.જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતું. શિપરમ ગ્રુપ સાથે અવિરત ગ્રુપ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 25 જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલી તપાસમાં ઇન્કમટેક્સ વિભાગના 150 જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. હાલમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેની આશંકા છે. દિવાળી પહેલા શહેરના ત્રણ જેટલા નામી ગ્રુપ ઉપર દરોડાના પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સન્નાટો છવાઇ ગયો હતો. 

રાજકોટમાં પણ આઈટીએ બોલાવ્યો સપાટોઃ
રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડને લઈ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. રાજકોટના સોની બજારમાં VP જવેલર્સ સીલ મારવામાં આવ્યું હતું.  જ્યારે પારેખ બુલિયનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 1 હજાર 476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્વેલર્સને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા હાજર ન થતા કાર્યવાહી કરવામાં આવી હતી.            
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news