આ રીતે હોળી પ્રગટાવો તો રોડને નુકસાન નહિ થાય, AMC એ અમદાવાદીઓને કરી ખાસ અપીલ

Holi 2023 : અમદાવાદમાં રસ્તા પર હોલિકા દહન ન કરવા AMCની અપીલ, સોસાયટીમાં આ વ્યવસ્થા કરી આપશે તંત્ર
 

આ રીતે હોળી પ્રગટાવો તો રોડને નુકસાન નહિ થાય, AMC એ અમદાવાદીઓને કરી ખાસ અપીલ

Holi Festival : ભારતમાં હોળીના પર્વનું અનેરું મહત્વ છે. દેશના દરેક ગામના નાકે હોળિકા દહન કરવામાં આવે છે. હોળીના તહેવાર પર સાંજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે અનેક લોકો આ માટે ચાર રસ્તા પર ખોદકામ કરતા હોય છે, અને હોળીના તહેવાર બાદ એ ખાડો એવોને એવો રહી જાય છે. જેનાથી અન્ય વાહનચાલકોને તકલીફ પડતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, જાહેરમાં રસ્તા પર હોળી પ્રગટાવવામાં ન આવે. 

ખાડા વગર પ્રગટાવો હોળી 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને અપીલ કરાઈ છે કે, હોળીના તહેવાર પર જાહેર રસ્તા પર ખાડા કરવામાં ન આવે. તેનાથી રોડને નુકસાન થાય છે. આ માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેવી રીતે રોડ પર હોળી પ્રગટાવવા તેની પણ સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો : 

કોર્પોરેશન માટી આપશે 
કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું કે, હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે. જેથી રોડને નુકસાન ન થયા છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હશે તે AMC દ્વારા પૂરી પવાડમાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

સોસાયટીને સૂચના
આ માટે કોર્પોરેશન દ્વારા સૂચના અપાઈ કે, રસ્તા પર ઈંટો ગોઠવાીન તેના પર માટી પાથરીને હોળી પ્રગાટાવાય તો રોડને નુકસાન થતુ અટકાવી શકાય છે. આ માટે કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરને સૂચના આપવામા આવી છે કે, તમારા વોર્ડની સોસાસટીઓને આ રીતે હોલિકા દહન કરવાનુ જણાવવામાં આવે. 

હોળી એ આનંદનો પર્વ છે, તેથી આનંદની સાથે સાથે જો રોડની નુકસાનીને પણ સાચવવામા આવે તો સારું. આ રીતે રોડ પર ખાડા પડતા અટકાવી શકાય છે. જો સાવચેતી સાથે તહેવાર ઉજવાય તો અન્ય નાગરિકોને પણ સારું લાગે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news