સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ, આ વિસ્તારના લોકોને મળશે વિદેશ જેવો અફલાતૂન બ્રિજ

Ahmedabad New Bridge : એએમસીની મોટી જાહેરાત, સાબરમતી રીવરન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેર થી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે

સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ, આ વિસ્તારના લોકોને મળશે વિદેશ જેવો અફલાતૂન બ્રિજ

Ahmedabad News અર્પણ કાયદાવાદા/અમદાવાદ : અમદાવાદમાં વધુ એક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. બ્રિજ ખૂબ જ મહત્વની યોજનારુપ સાબિત થશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઉભી કરશે. આ બ્રિજ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે.

ક્યા બનશે આ બ્રિજ
સાબરમતી રીવરન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેર થી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે. સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઈનનો આ બ્રિજ તૈયાર કરવામાં આવશે. જે અમદાવાદની એક આગવી ઓળખ ઊભી કરશે. ગુજરાતમાં નદીના પાણીને રોકી શકાય તે માટે એક પણ રબરથી સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી. આ ઓવરબ્રિજની નીચે રબર બ્રિજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે. જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ પણ બનશે નહીં.

બ્રિજની ખાસિયત 
બેરેજ ક્મ બ્રિજની વિશેષતા રબર બેરેજનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ Automatic control system આધારીત છે. જેનાથી તેને ડીફલેક્ટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય, તે હેતુથી વૈકલ્પિક દરખાસ્તોનો અભ્યાસ કરી તર્ક વિતર્ક તેમજ સાનુકૂળ પરિસ્થતીને આધીન Automatic control system આધારીત Air filled Rubber Barrage બનાવવામાં આવનાર છે.

આ પ્રકારનો પ્રથમ બ્રિજ
બેરેજ સ્પેશ્યલાઈઝડ પ્રકારનો તથા ગુજરાત રાજ્ય માટે આવા પ્રકારનો બેરેજ પ્રથમ હોવાથી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ભાગ લેવાની છે. એર ફીલ્ડ રબર ટાઈપ બેરેજના કામનું મેન્યુફેક્ચરીંગ, સપ્લાય, ફીક્ષીંગ ઇન્સ્ટોલેશન કમીશનીંગ, ઓપરશન અને મેઇન્ટેનન્સ તેમજ જરૂરી ઇલેક્ટ્રો-મીકેનીકલ ઓટોમેશન સિસ્ટમ સહિત નું બાંધકામ કરવાના કામનું ટેન્ડર રૂા. 73,65 કરોડનું મંગાવવામાં આવેલ છે.

બનનાર બેરેજ કમ બ્રિજના કારણે અચેર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાનો મોટો ફાયદો મળશે. જેના વડે અમદાવાદ શહેરને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ રીપેરીંગ દરમ્યાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે આશરે 10 થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે કોતરપુર વોટર વર્કસ ખાતે ઉપલબ્ધ થઇ શકશે.

પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશન થી પૂર્વ માં કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ) ના બંન્ને રસ્તાઓને જોડતો બ્રીજ બનાવવામાં આવશે. જેના કારણે શહેરનાં પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. જેથી ટ્રાફીક સમસ્યા ઘણી જ હળવી બનશે.

વધુમાં,થીમ બેઇઝ લાઇટીંગ તેમજ વોટર ટ્રાન્સ્પોર્ટેશનની સગવડ માટેની પણ પ્રપોઝલ કરવામાં આવેલ છે. બ્રીજ બન્ને સાઇડ ફુટપાથ સાથે તથા રીવરફ્રન્ટ રોડ માટે ચારેય બાજુએ મુખ્ય બ્રીજ સુધી કનેક્ટ કરતો બ્રિજ બનાવવાની પણ પ્રપોઝલ કરવામાં આવેલ છે. બનનાર બ્રીજ પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસ તેમજ પૂર્વ કાંઠે કેમ્પ સદર બજારને સરળતાથી જોડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news