પુલવામા આતંકવાદી હુમલા મુદ્દે વધુ એકની ધરપકડ, NIAને મળ્યો માસ્ટર માઇન્ડનો મદદગાર

જમ્મુ કાશ્મીરનાં પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં એનઆઇએને મોટી સફળતા મળી છે.  તપાસ એજન્સીએ હુમલાના માસ્ટર માઇન્ડની મદદ કરનારા આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું શાકીર બશીર હોવાનું સામે આવી રહ્યું છે. તે જૈશ મોહમ્મદ માટે કામ કરતો હતો. એવું જણાવાઇ રહ્યું છે કે શાકિર બશીરે હુમલાના માસ્ટરમાઇન્ડ આદિલ અહેમદ ડારની મદદ કરી હતી. 

પુલવામા આતંકવાદી હુમલા મુદ્દે વધુ એકની ધરપકડ, NIAને મળ્યો માસ્ટર માઇન્ડનો મદદગાર

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં એનઆઇએને મોટી સફળતા મળી છે.  તપાસ એજન્સીએ હુમલાના માસ્ટર માઇન્ડની મદદ કરનારા આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું શાકીર બશીર હોવાનું સામે આવી રહ્યું છે. તે જૈશ મોહમ્મદ માટે કામ કરતો હતો. એવું જણાવાઇ રહ્યું છે કે શાકિર બશીરે હુમલાના માસ્ટરમાઇન્ડ આદિલ અહેમદ ડારની મદદ કરી હતી. 

હરિયાણા: કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે 4નાં મોત, 30થી વધારે લોકો ઘાયલ
શાકિર બશીરે જૈશ આતંકવાદીનાં હથિયાર અને પૈસા એકત્ર કર્યા. શાકીર બશીર પુલવામાનાં કાકાપુરનો રહેવાસે છે. ઉપરાંત બશીરે ફિદાયીન હુમલાખોરોની મદદ કરી અને તેણે એનઆઇએ તપાસમાં કબુલ્યું છે કે હુમલા માટે આરડીએક્સ પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા પહેલાથી જ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news