31 ની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હો તો સાવધાન, ગૃહમંત્રીએ કહ્યું રાત્રી કર્ફ્યૂ નહી

દિવાળી બાદ કોરોનાની વણસેલી સ્થિતીને ધ્યાને રાખીને સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે શનિ રવિ માટે અમદાવાદમાં સંપુર્ણ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. 16 નવેમ્બરે આ રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. રાત્રી કર્ફ્યૂની જાહેરાતને આજે 31 મો દિવસ ચાલી રહ્યો છે. જો કે હવે આદેશનો સમયગાળો પુર્ણ થઇ રહ્યો હોવાના કારણે નાગરિકોને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળે તેવી આશા હતી.
31 ની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હો તો સાવધાન, ગૃહમંત્રીએ કહ્યું રાત્રી કર્ફ્યૂ નહી

સુરત : દિવાળી બાદ કોરોનાની વણસેલી સ્થિતીને ધ્યાને રાખીને સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે શનિ રવિ માટે અમદાવાદમાં સંપુર્ણ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. 16 નવેમ્બરે આ રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. રાત્રી કર્ફ્યૂની જાહેરાતને આજે 31 મો દિવસ ચાલી રહ્યો છે. જો કે હવે આદેશનો સમયગાળો પુર્ણ થઇ રહ્યો હોવાના કારણે નાગરિકોને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળે તેવી આશા હતી.

પરંતુ ગુજરાતમાં હાલ કોરોનાની જે પ્રકારની સ્થિતી યથાવત્ત છે તેને ધ્યાને રાખીને ચારેય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂં યથાવત્ત રાખવામાં આવી શકે છે. સરકારમાં રહેલા ઉચ્ચ સુત્રો અનુસાર કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી સરકાર રાત્રી કર્ફ્યૂ હટાવવા અંગે કોઇ જ વિચારણા કરી નથી રહી તેવું કહ્યું હતું. જેને આજે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અધિકારીક રીતે કર્ફ્યૂ નહી હટવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલમાં રાત્રી કર્ફ્યૂ હટાવવાની કોઇ જ વિચારણા નથી. કોઇ પણ સંજોગોમાં આ કર્ફ્યૂ યતાવત્ત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો આંકડો 1000ની પણ નીચે પહોંચી ગયા બાદ દિવાળીમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. જેને સેકન્ડ વેવ પણ ઘણા લોકો કહી રહ્યા છે. જો કે ફરી એકવાર કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. તેમ છતા પણ સરકાર રાત્રી કર્ફ્યૂ હટાવવાનાં મુડમાં નથી. ટુંક સમયમાં જ હાઇપાવર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે અને ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા ઉચ્ચ પદસ્થ સુત્રો સેવી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ટુંક જ સમયમાં 31 ડિસેમ્બર આવી રહી છે. 25મી ડિસેમ્બરથી જ આ પર્વની ઉજવણીની શરૂઆત થઇ જતી હોય છે. તેવામાંદિવાળી જેવી સ્થિતી ફરીથી ન સર્જાય તે માટે સરકાર દ્વારા હાલમાં કર્ફ્યૂ હટાવવામાં આવશે નહી. ગૃહમંત્રીએ જણાવ્યું કે, હાલમાં કર્ફ્યૂની સ્થિતી યથાવત્ત જ રહેશે. કોઇ પણ સંજોગોમાં કર્ફ્યુ હટશે નહી. ક્રિશ્ચિય ચર્ચ અને વિવિધ ક્રિશ્ચિયન સંસ્થાઓને ઘરમાં રહીને જ ઉજવણી કરવા અને પ્રેયર કરવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના ક્રિશ્ચિયન સંગઠનોએ સંમતી પણ દર્શાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news