ભરૂચ: અયપ્પા મંદિર પાસે માર્ગ પર બાઇક સ્લીપ મારતા બે વ્યક્તિના મોત

ભરૂચમાં પુરપાટ ઝડપે બાઈક હંકારનાર બે યુવાનોના બાઈક સ્લીપ થઈ જતા મોત થયા હતા. ભરૂચમાં અયપ્પા મંદિર નજીક આવેલા ઝાડેશ્વર જતા રોડ પર બાઇક સ્લીપ મારતા બાઇક ઘસડાઇતા બંન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ભરૂચ: અયપ્પા મંદિર પાસે માર્ગ પર બાઇક સ્લીપ મારતા બે વ્યક્તિના મોત

ભરત ચુડાસમા/ભરૂચ: ભરૂચમાં પુરપાટ ઝડપે બાઈક હંકારનાર બે યુવાનોના બાઈક સ્લીપ થઈ જતા મોત થયા હતા. ભરૂચમાં અયપ્પા મંદિર નજીક આવેલા ઝાડેશ્વર જતા રોડ પર બાઇક સ્લીપ મારતા બાઇક ઘસડાઇતા બંન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સ્લીપ ખાઇ રોડ પર પટકાયેલ બંને ઈસમોને સ્થાનિકો દ્વારા સારાવાર કરાવા માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટના રોડ પર આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ પણ દેખાય છે, કે બંન્ને બાઇક ચાલકો પુરપાટ ઝડપે રોડ પર બાઇક ચલાવી રહ્યા છે.

બાઇક ચાલકો ઝાડેશ્વર ચોકડી પાસેથી શહેર તરફ આવી રહ્યા હતા. ચાલકો પલ્સર બાઇક પર પુરપાટ ઝડપે સ્થળ પરથી પસાર થઇ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુન્હો નોઘીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આ બંન્ને મૃતકો અંગે જાણાકારી મેળવવા નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news