Corona Update: ગુજરાતમાં નવા 20 કેસ, મૃત્યુ 0, રાજ્યનો રિકવરી રેટ 98.76%

ગુજરાતમાં નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. અનેક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ સામે આવી રહ્યાં નથી. તો રસીકરણ અભિયાન પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. 

Corona Update: ગુજરાતમાં નવા 20 કેસ, મૃત્યુ 0, રાજ્યનો રિકવરી રેટ 98.76%

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીના મૃત્યુ થયા નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની ાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8 વાખ 25 હજાર 916 થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 678 લોકો સાજા થયા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 5 કેસ સામે આવ્યા છે. તો વલસાડમાં પાંચ કેસ, અમદાવાદ શહેરમાં 4, ખેડામાં 2, સુરત ગ્રામ્યમાં 2 અને વડોદરામાં બે કેસ નોંધાયા છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 156 છે, જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 153 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે.  રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 678 લોકો સાજા થયા છે. 

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે. આજે સાંજે 4 કલાક સુધીમાં કુલ 2 લાખ 32 હજાર 476 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6 કરોડ 3 લાખ 36 હજાર 757 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news