અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે. 

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા

અમદાવાદ :અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે. 

દીવના તમામ બીચ બંધ કરાયા
મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવના તમામ બીચ બંધ કરાયા છે. પ્રવાસીઓને બીચ પર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દીવના તમામ બીચ પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. વિશ્વ વિખ્યાત દીવના નાગવા બીચને પણ બંધ કરાયો છે. પોલીસે નાગવા બીચ પરથી પ્રવાસીઓને હટાવ્યા છે. એક તરફ વેકેશનનો માહોલ છે, જેથી પ્રવાસીઓ ઉભરાયા છે. તો બીજી તરફ નાગવા બીચ બંધ કરાયા મુસાફરો દુખીદુખી જણાયા હતા.

દીવના કિલ્લામાં દરિયાના પાણી ઘૂસશે
જૂન મહિનામાં આવેલ વિકરાળ વાવઝોડું વાયુ ભલે ગુજરાતમાં ટકરાયું ન હતું. પરંતુ એના મહાકાય મોજાને કારણે દીવના પ્રખ્યાત કિલ્લામાં પાણી ઘૂસી ગયા હતા અને હવે મહા વાવાઝોડાએ દસ્તક દીધી છે. ત્યારે ફરી એકવાર દરિયાના પાણી કિલ્લામાં ઘૂસવાની દહેશત સેવાઇ રહી છે. ત્યારે પુરાતન વિભાગ પણ એલર્ટ થયું છે. દીવના નોડલ ઓફિસર સંદીપ બારૈયાએ જણાવ્યું કે, દીવના વણકબારા ખાતે કલેક્ટરની અધ્યક્ષમાં વણાકબારાની માધ્યમિક શાળાને શેલ્ટર હાઉસ તરીકે બનાવાયું છે. જેમાં જમવાની-રહેવાની સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ઉલ્લેખનીય છે કે જલારામ સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાની દહેશતના પગલે આગોતરા પગલાં લેવાયા છે.   

તીથલ બીચ પણ બંધ કરાયો
મહા વાવાઝોડાને પગલે વલસાડ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વલસાડ જિલ્લાના 10 જેટલા દરિયા કાંઠાના ગામોને અસર થશે. એનડીઆરએફ અને ડિઝાસ્ટર દ્વારા 10 જેટલા ગામોનું નિરીક્ષણ કરાશે. ડિઝાસ્ટર વિભાગે પોલીસને સાથે રાખીને વલસાડ જિલ્લાના દરિયા કાંઠાના ગામોમાં નિરીક્ષણ કર્યું હતું. જેમાં તિથલ દરિયે પણ ટીમોએ નિરીક્ષણ કર્યું. બપોરે 2 વાગ્યાથી વલસાડ તિથલ બીચ સેહલાણીઓ માટે 2 દિવસ સુધી બંધ કરવામાં આવશે. 

ભાવનગરમાં એનડીઆરએફની 8 ટીમ સ્ટેન્ડબાય
મહા વાવાઝોડાને લઈને ભાવનગરમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 8 ટીમો આ 42 ગામો પાર સતત સ્ટેન્ડ બાય રહેશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news