મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019)માં સરકાર બનાવવાને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે. શિવસેનાના 50-50ના ફોર્મ્યુલાની માગણીના કારણે ભાજપ સાથે સરકાર બનાવવાને લઈને સતત ગતિરોધ ચાલુ છે. જેના પગલે શિવસેના સહિત વિપક્ષી દળો હવે અન્ય વિકલ્પો પર ચર્ચા કરી રહ્યાં છે. આ કડીમાં એનસીપી નેતા શરદ પવારે ગઈ કાલે સહયોગી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવામાં કોંગ્રેસ હાલ દુવિધામાં છે. એ પણ કહી શકાય કે  કોંગ્રેસને હાલ તેમાં કોઈ રસ નથી. 
મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019)માં સરકાર બનાવવાને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે. શિવસેનાના 50-50ના ફોર્મ્યુલાની માગણીના કારણે ભાજપ સાથે સરકાર બનાવવાને લઈને સતત ગતિરોધ ચાલુ છે. જેના પગલે શિવસેના સહિત વિપક્ષી દળો હવે અન્ય વિકલ્પો પર ચર્ચા કરી રહ્યાં છે. આ કડીમાં એનસીપી નેતા શરદ પવારે ગઈ કાલે સહયોગી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવામાં કોંગ્રેસ હાલ દુવિધામાં છે. એ પણ કહી શકાય કે  કોંગ્રેસને હાલ તેમાં કોઈ રસ નથી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ સોનિયા ગાંધીએ સોમવારે બેઠકમાં શરદ પવારને કહ્યું કે  અમારી પાસે આંકડા નથી પરંતુ આગળની રાજકીય પરિસ્થિતિ મુજબ કોંગ્રેસ વિચાર કરશે. હકીકતમાં સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના શિવસેના સાથે વૈચારિક મતભેદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં મોટો રોડો ગણવામાં આવી રહ્યો છે. 

આમ તો સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીપીને શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં કોઈ સમસ્યા નથી પરંતુ તે શિવસેનાના પ્રસ્તાવ અને કોંગ્રેસના બહારથી અપાતા સમર્થન પર નિર્ભર કરશે. આજે શરદ પવાર મુંબઈમાં પાર્ટીના પ્રમુખ નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે. જરૂરિયાત મુજબ સોનિયા ગાંધી સાથે આગળ વાતચીત કે મુલાકાત કરશે. 

કોંગ્રેસ-એનસીપીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો
રાજકીય  ગરમાવા વચ્ચે કોંગ્રેસના નેતાઓએ મહારાષ્ટ્રના રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે. એનસીપીના નેતાઓ સાથે મળીને ગવર્નરને મળવા માટે સમય માંગવામાં આવ્યો છે. રાજભવન દ્વારા હજુ જો કે સમય અપાયો નથી. જો કે આજે મળવાની આશા છે. 

ભાજપ એકલા હાથે સરકાર બનાવવા માટે દાવો રજુ નહીં કરે
આ બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ અલ્પમતમાં એકલા હાથે સરકાર બનાવવાનો પહેલા દાવો રજુ નહીં કરે. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ શિવસેનાના સમર્થન આપવાની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પોતે દાવો કરશે નહીં. મહારાષ્ટ્ર ભાજપને શિવસેનાના પગલાં પર નજર રાખવાની અને વેઈટ એન્ડ વોચની રણનીતિ અપનાવવાની ભાજપ હાઈ કમાન્ડ દ્વારા સૂચના અપાઈ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રમાં સીએમ અને ગૃહ મંત્રીની ખુરશીને છોડીને બાકીના પદો પર ફિફ્ટી-ફિફ્ટીના ફોર્મ્યુલા પર શિવસેના સાથે વાત કરવાના પક્ષમાં છે. શિવસેનાને 18 મંત્રી પદ આપવાની ભાજપની તૈયારી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આગળની રણનીતિ માટે બપોરે 2 વાગ્યાની કોર કમિટીની  બેઠક બોલાવી છે. જેમાં ફડણવીસ ઉપરાંત ચંદ્રકાંત પાટિલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, અને પંકજા મુંડે હાજર રહેશે. 

આ બધા વચ્ચે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. ટોપ પ્રાયોરિટીવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો છે કે તેઓ સરકાર બનાવવાને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે મધ્યસ્થતા કરાવે. જેથી કરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતિથી ઉકેલ આવી શકે. આ અગાઉ કિશોર તિવારી તે વખતે પણ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે અનેક વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના પક્ષમાં અપેક્ષિત પરિણામો ન આવતા તેમણે અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. 

જુઓ LIVE TV

શિવસેના નારાજ
આમ તો શિવસેના તરફથી ઔપચારિક રીતે ભાજપ સાથે સરકાર બનાવવાને લઈને વાતચીત થઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ સીએમ પદની વહેંચણીની સાથે સાથે શિવસેના એ વાતથી પણ નારાજ છે કે હજુ સુધી ભાજપના કોઈ પણ મોટા નેતાએ આદિત્ય ઠાકરેને જીત પર શુભેચ્છા પાઠવવા ફોન સુદ્ધા કર્યો નથી. સીએમએ પરિણામવાળા દિવસે પણ ફક્ત પ્રેસ કોન્ફરન્સના ટાઈમિંગના ફેરફાર પર વાત કરી હતી. શિવસેનાને આશા હતી કે ઠાકરે પરિવારની પહેલી વ્યક્તિ ચૂંટણી જીત્યા બાદ ગઠબંધનના નેતાઓ અભિનંદન પાઠવશે પરંતુ એવું બન્યું નહીં. 

શિવસેનાને કસક છે કે જ્યારે પીએમ મોદી અને અમિત શાહનું નામાંકન હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે પોતે નામાંકન સમયે પહોંચ્યા હતાં. આમ છતાં ભાજપનો આ વ્યવહાર શિવસેનાને અકળાવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એક બાજુ જ્યાં ભાજપનો આ વ્યવહાર હતો ત્યાં બીજી બાજુ પવાર પરિવાર તરફથી આદિત્યને જીત બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 

(ઈનપુટ-અહેસાન અબ્બાસ અને નિત્યાનંદ શર્માની સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news