ગુજરાતમાં કયા કારણોસર કાળા જાંબુ બજારમાં સીઝન કરતા વહેલા જોવા મળ્યા! આ છે હકીકત

ઉનાળો આવતા જ પાણીથી ભરપૂર ફળો બજારમાં અવાવના શરૂ થાય છે. જેમાં ખેતરોમાં શેઢે પાળે થતા સફેદ અને કાળા જાંબુ પણ મળતા થયા છે. જોકે વાતાવરણમાં સતત બદલાવની સીધી અસર ફળો પર પણ જોવા મળી છે

ગુજરાતમાં કયા કારણોસર કાળા જાંબુ બજારમાં સીઝન કરતા વહેલા જોવા મળ્યા! આ છે હકીકત

ધવલ પરીખ/નવસારી: ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં તાપમાન ઉંચે જતા ખેતી ઉપર વિપરીત અસર થઈ રહી છે. જેને કારણે સામાન્ય રીતે મે મહિનામાં આવતા અને આરોગ્યની દ્રષ્ટિએ ઉપયોગી કાળા જાંબુ બજારમાં સીઝન કરતા વહેલા મળતા થયા છે. 

ઉનાળો આવતા જ પાણીથી ભરપૂર ફળો બજારમાં અવાવના શરૂ થાય છે. જેમાં ખેતરોમાં શેઢે પાળે થતા સફેદ અને કાળા જાંબુ પણ મળતા થયા છે. જોકે વાતાવરણમાં સતત બદલાવની સીધી અસર ફળો પર પણ જોવા મળી છે, જેમાં તાપમાન ઉંચે જતા સમય કરતા વહેલા ફળ પાકી જવાની સ્થિતિ બને છે. ત્યારે ડાયાબિટીસના રોગમાં અકસીર ગણાતા કાળા જાંબુ સ્મનાય રીતે મે મહિનાના મધ્યમાં આવતા હોય છે, પરંતુ વતાવારણીય અસરને કારણે 20 દિવસ વહેલા જાંબુ બજારમાં મળતા થયા છે. 

જાંબુ વહેલા આવવાથી એના ગુણધર્મ પર કોઈ અસર નથી થતી, પણ ફળની સાઈઝ અને ગુણવત્તા પર ચોક્કસ અસર થતી હોવાનું કહી શકાય છે. કાળા જાંબુ મે જૂનમાં આવતા ફળ માખીનો ઉપદ્રવ ઉત્પાદન પર અસર પહોંચાડે છે, જેથી એક રીતે જાંબુ વહેલા આવવું ખેડૂતો માટે લાભદાયક છે. 

ઉલ્લેખનીય છે કે દરેક ફળનું એક તાપમાન નક્કી હોય છે અને એ તાપમાન મળતા જ ફળ તૈયાર થતા હોય છે. ત્યારે તાપમાનમાં ઉતાર ચઢાવ ફળને વહેલા પાકવામાં કારણભૂત કહી શકાય છે, જેના કારણે જ કેરી અને જાંબુ બજારમાં વહેલા જોવા મળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news