અમદાવાદ: વસ્ત્રાપુરમાં કર્ફયું સમયે દારૂ પીધેલી યુવતી સહિત 3 નબીરાઓ ઝડપાયા

હાલમાં અનલોક 1.0 ચાલી રહ્યું છે. સરકાર દ્વારા તબક્કાવાર જીવન પુર્વવત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજી પણ રાત્રે 9થી વહેલી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો નિયમ યથાવત્ત છે. આ જ કર્ફ્યુમાં વસ્ત્રાપુરમાં દારૂ પીધેલી સ્થિતીમાં કાર લઇને નિકળેલી યુવતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હિમાલય મોલ પાસેનાં પોઇન્ટ પર બંદોબસ્તમાં ઉભા હતા. ત્યારે એક યુવતી અને બે યુવકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.
અમદાવાદ: વસ્ત્રાપુરમાં કર્ફયું સમયે દારૂ પીધેલી યુવતી સહિત 3 નબીરાઓ ઝડપાયા

અમદાવાદ : હાલમાં અનલોક 1.0 ચાલી રહ્યું છે. સરકાર દ્વારા તબક્કાવાર જીવન પુર્વવત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજી પણ રાત્રે 9થી વહેલી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો નિયમ યથાવત્ત છે. આ જ કર્ફ્યુમાં વસ્ત્રાપુરમાં દારૂ પીધેલી સ્થિતીમાં કાર લઇને નિકળેલી યુવતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હિમાલય મોલ પાસેનાં પોઇન્ટ પર બંદોબસ્તમાં ઉભા હતા. ત્યારે એક યુવતી અને બે યુવકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

વસ્ત્રાપુર પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તેમની ઇન્ડિકા કાર કબ્જે કરી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તમામની અટકાયત કરી છે. યુવતી સહિત તમામ લોકો દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તત્કાલ ત્રણેયને કારમાંથી નીચે ઉતારીને ધરપકડ કરી હતી. કારને પણ જપ્ત કરવામાં આવી હતી. પુછપરછ કરતા યુવતી વસ્ત્રાપુર, યુવક બોડકદેવ તેમજ અન્ય એક યુવતી સ્વાતી સોસાયટીનો રહેવાસી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news