રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો

mansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા વધુ 5 કરોડની રોકડ અને કરોડોનું સોનુ મળ્યું, અગાઉ 10.55 કરોડ બેનામી સંપત્તિ જાહેર થઈ હતી

રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની ઓફિસમાં ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં ACBની તપાસમાં સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. સાગઠિયાની ઓફિસમાં પાંચ કરોડ રોકડા મળી આવ્યા છે. તેમજ એક કરોડથી વધુની રકમનું સોનું સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું છે. ત્યારે ACBની તપાસમાં સાગઠિયાના ભ્રષ્ટાચારના વધુ પ્રકરણ ખુલે તેવી શક્યતા છે. 

મનસુખ સાગઠિયાની ઓફિસ 150 ફૂટ રિંગ રોડ પરના ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આવેલી છે. વેરો ન ભરવામાં આવતા ઓફિસને સીલ કરવામાં આવી હતી. જેને તપાસ માટે ખોલવામાં આવી. ગઈકાલ રાતથી એસીબી તપાસ કરી રહ્યું છે. સાગઠીયા 500 કરોડથી વધુનો આસામી હોવાનો દાવો કરવામાં આવ્યો. ભ્રષ્ટ સાગઠીયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ હાથ લાગી છે. તેમજ રોકડ રકમ ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે. 

એસીબીની તપાસમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે. ચર્ચા છે કે, મનસુખ સાગઠીયા 500 કરોડથી વધુનો આસામી છે. સાગઠીયા સાથે સંકળાયેલા હજુ પણ એક પણ રાજકારણીનો નામ સામે આવ્યા નથી. પરંતું સાગઠીયાના માથે કોનો હાથ છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. 

સાગઠીયાની આવક કરતા વધુ સંપત્તિ
જિલ્લાના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનીગ, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે ACBએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત સાગઠિયા સાથે સંકળાયેલાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તપાસમાં 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી જે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું સૂચવે છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ ACBની તપાસ કરી રહી છે. સાગઠિયા પોતાની કાયદેસરની આવક રૂપિયા 2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પરિવારજનોનાં નામે કુલ રોકાણ કરતાં તેમનો ખર્ચ રૂપિયા 13,23,33,323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું છે.

સાગઠીયાના બોસની કેમ ધરપકડ કરવામાં નથી આવતા - કોંગ્રેસ 
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર પર સવાલો કર્યા છે કે, જાણે કે સાગઠીયાને પૂરી લીધો એટલે બધું જ પૂરું થઈ ગયું. સાગઠીયાના બોસની કેમ ધરપકડ કરવામાં નથી આવતા. સાગઠીયાના બોસ સુધી કેમ પહોંચવામાં નથી આવતું. જ્યાં કલેકટર, કમિશ્નર, મેયર, ધારાસભ્ય જાય ત્યાં પીઆઈ પીએસઆઇ બંધ કરાવી શકે ખરા. સરકારની સંવેદના મરી પરવારી છે. પીડિત પરિવારજનોની મુલાકાત લીધી છે. જીવ ગુમાવનારા લોકો મધ્યમવર્ગીય છે. સરકાર ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી શકતી હોય તો 4 લાખ મૃતકના પરિવારજનોને સહાય ઓછી કહેવાય.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news