GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 36 સાજા થયા, 2 નાગરિકોના મોત

રાજ્યમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 36 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,513 નાગરિકો રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 1,83,388 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 36 સાજા થયા, 2 નાગરિકોના મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 36 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,513 નાગરિકો રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 1,83,388 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 326 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 321 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,12,513 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10941 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે નવસારીમાં 1 અને ગાંધીનગરમાં 1 નાગરિકનું મોત થઇ ચુક્યું છે. નવા નોંધાયેલા કેસ અનુસાર અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, દાહોદ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2043 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 17589 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1445 ને રસીનો પ્રથમ જ્યારે 8667 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 9638 ને પ્રિકોર્શન અને 12-14 વર્ષના તરૂણો પૈકી 144006 ને પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,83,388 રસીના ડોઝ અપાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 10,48,93,979 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news