'માવજી પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે, ભાજપના ઉમેદવાર જંગી મતોથી વિજય થશે'

ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત ભાજપના નેતા અને રાજપૂત સમાજના આગેવાન ડી.ડી રાજપૂત સાથે સુઇગામના રાજપૂત સમાજના લોકો વચ્ચે પહોંચીને ખાટલા બેઠકો કરીને રાજપૂત સમાજના લોકોના મત ભાજપને મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. 

'માવજી પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે, ભાજપના ઉમેદવાર જંગી મતોથી વિજય થશે'

અલ્કેશ રાવ/બનાસકાંઠા: વાવ વિધાનસભાની ચૂંટણીના મતદાનને હજુ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ વાવના ગામડાઓમાં પ્રચાર કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત ભાજપના નેતા અને રાજપૂત સમાજના આગેવાન ડી.ડી રાજપૂત સાથે સુઇગામના રાજપૂત સમાજના લોકો વચ્ચે પહોંચીને ખાટલા બેઠકો કરીને રાજપૂત સમાજના લોકોના મત ભાજપને મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. 

Add Zee News as a Preferred Source

ત્યારે મંત્રી બળવંતસિંહ રાજપૂત સુઇગમના રૂપાણીવાસ ખાતે પહોંચ્યા હતા અને તેમને રાજપૂત સમાજના લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી હતી જોકે ઝી24કલાક સાથે વાત કરતા મંત્રી બળવંતસિંહ રાજપુતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે હંમેશા ભાજપે વિકાસના નામે મત માંગ્યા છે આ વાવ, સુઇગામ અને ભાભરનો ભાજપ સરકારે વિકાસ કર્યો છે, અહીં મોટું ટુરિઝમ બનાવાયું છે, જ્યાં દેશભરના લોકો આવે છે.

જોકે આ ચુંટણીમાં મને ભરોસો છે કે રાજપૂત સમાજ ભાજપ સાથે રહશે કારણકે રાજપૂત સમાજ વિકાસને વરેલો છે. અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે. ભાજપના ઉમેદવારનો જંગી મતોથી વિજય થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news