હીટવેવની આગાહી : આજથી પાંચ દિવસ પસાર કરવા અઘરા પડી જશે

આજથી પાંચ દિવસ કામ બહાર જવુ હોય તો સાચવીને નીકળજો, કારણ કે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી વધુ કહેર વરસાવશે. આગામી પાંચ દિવસમાં ગરમીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 5 દિવસ માટે હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર થયું છે. જેમાં ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની માહિતી મુજબ, ગુજરાતના મોટાભાગનાં શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેશે. તેથી લોકોને કામ વિના બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. 

હીટવેવની આગાહી : આજથી પાંચ દિવસ પસાર કરવા અઘરા પડી જશે

ગુજરાત :આજથી પાંચ દિવસ કામ બહાર જવુ હોય તો સાચવીને નીકળજો, કારણ કે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી વધુ કહેર વરસાવશે. આગામી પાંચ દિવસમાં ગરમીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 5 દિવસ માટે હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર થયું છે. જેમાં ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની માહિતી મુજબ, ગુજરાતના મોટાભાગનાં શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેશે. તેથી લોકોને કામ વિના બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. 

ક્યાં કેટલો પારો

  • અમદાવાદ 41.5 ડિગ્રી
  • ડીસા 40.8 ડિગ્રી
  • ગાંધીનગર 41.2 ડિગ્રી
  • વડોદરા 40.0 ડિગ્રી
  • સુરત 35.8 ડિગ્રી
  • અમરેલી 41.3 ડિગ્રી
  • ભાવનગર 37.9 ડિગ્રી
  • રાજકોટ 41.3 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી
  • ભૂજ 38.0 ડિગ્રી 

બપોરે તો જાણે કરફ્યૂ જેવો માહોલ
ગરમી અને આકરા તાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાં પણ એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે મે મહિના વધુ આકરો જશે તેવી શક્યતા સેવાઈ રહી છે. મે માસના પ્રારંભે જે રીતે ગરમીનો પારો ઉપર જઇ રહ્યો છે એ જોતાં આ ઉનાળો આકરો થઇ પડશે એવું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 41 ઉપર જતાં બપોરે અસહ્ય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જેને પગલે રસ્તા પણ સૂમસામ દેખાય છે અને સ્વયંભૂ કરફ્યૂ જેવો માહોલ લાગે છે.  ગરમીને પગલે લોકો રીતસરના પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે તો બીજી તરફ લોકો ગરમીથી બચવા એસી, કુલર સહિત ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે. 

ગરમીથી બચવા શું કરવું
હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news