ખેડાના સિરપકાંડના તાર વડોદરા સુધી લંબાયા : નકલી સેનેટાઈઝર, નકલી દારૂ બનાવનાર નીકળ્યો અસલી માસ્ટરમાઈન્ડ

Kheda Syrup Kand : ખેડાના સિરપકાંડના તાર વડોદરા સુધી લંબાયા... આરોપી યોગેશ સિંધા વડોદરાના નીતિન કોટવાણી પાસેથી નશાકારક સિરપ લાવ્યો હોવાનો ખુલાસો... નકલી સેનિટાઈઝર બનાવવામાં પકડાઈ ચુક્યો છે નીતિન કોટવાની... 

ખેડાના સિરપકાંડના તાર વડોદરા સુધી લંબાયા : નકલી સેનેટાઈઝર, નકલી દારૂ બનાવનાર નીકળ્યો અસલી માસ્ટરમાઈન્ડ

Ayurvedic syrup kheda Nadiad suspicious death updates : 5 લોકોનો જીવ ભરખી જનાર ખેડાના સિરપ કાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યું છે. આરોપીઓ વડોદરાથી સિરપ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. મોતના સિરપકાંડમાં વડોદરાના આરોપીનું નામ ખૂલ્યું છે. સિરપકાંડમાં નીતિન કોટવાનીની સંડોવણી સામે આવી છે. નીતિન કોટવાણી અગાઉ ડુપ્લીકેટ સેનિટાઈઝરમાં પકડાઈ ચુક્યો છે. ત્યારે વડોદરાના આરોપીને પકડવા પોલીસ દોડતી થઈ છે. આરોપીનું હાલનું લોકેશન પોલીસને મુંબઈનું મળ્યું છે. 

નીતિન પહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝર અને દારૂની ફેક્ટરી ચલાવતો
ખેડાના સિરપ કાંડને લઈ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતાજણાવ્યું કે, ખેડાના શિરપ કાંડમાં વડોદરામાં અગાઉ પકડાયેલા આરોપીઓના નામ ખુલ્યા છે. આ માટે ખેડા પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી છે. વડોદરા પોલીસના તમામ અધિકારીઓ આરોપીઓને શોધવામાં કામે લાગ્યા છે. નીતિન કોટવાની અગાઉ વડોદરામાં ડુપ્લીકેટ સેનેટાઈઝર અને દારૂની ફેક્ટરી ચલાવતો હતો. આ આરોપી હાલમાં વડોદરામાં નથી રહેતો, પરંતું આરોપી નીતિનનું લોકેશન અગાઉ લુણાવાડા હતું, હાલમાં મુંબઈમાં હોવાનુ સામે આવ્યું છે. વડોદરા પોલીસ તમામ મેડિકલ સ્ટોર, ગોડાઉન, પાનના દુકાન અને ગલ્લામાં તપાસ કરી રહી છે. ગેરકાયદેસર રીતે સિરપ વેચતા લોકોને પોલીસ કમિશનરે કડક ચેતવણી આપી છે. 

નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ખોલી હતી 
નડિયાદના સીરપ કાંડમાં પકડાયેલો આરોપી વડોદરાનો હોવાનું ખૂલ્યું છે. આરોપી નીતિન કોટવાનીના વિરૂદ્ધ એપ્રિલ 2021 માં નકલી સેનેટાઈઝર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં લાખોનું નકલી સેનેટાઈઝર અને રો-મટિરિયલ ઝડપાયું હતું. તે ગોરવા તળાવ પાસેના શિવભક્તિ ફલેટમાં રહેતો હતો, ત્યારબાદ આરોપી મકાન વેચી મુંબઈ શિફ્ટ થયો. ડિસેમ્બર 2021 માં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સાંકરદા ગામમાંથી ઝડપાઈ હતી. 

જેલમાં બનાવ્યો સિરપનો પ્લાન, બિશ્નોઈ ગેંગના સાગરીતોએ આપ્તો હતો આઈડિયા
આ કેસમાં ફેક્ટરી માલિકોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આયુર્વેદિક સીરપ બનાવવાનું લાયસન્સ લીધું હતું, પણ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે નકલી દારૂ બનાવવાનું પ્લાન વડોદરા જેલમાં ઘડાયો હતો. તે જેલમાં બિશનોઈ ગેંગના સાગરીતોના સંપર્ક આવ્યો તેમણે આઈડિયા આપ્યો હતો. લાખોનો જથ્થો અને મશીનરી સાધનો મળી આવ્યું હતા. રાજકોટમાંથી આવી જ નશાકારક શિરપ પકડાઈ હતી.

ખેડામાં આયુર્વેદિક સીરપ કાંડ મામલે 5 વ્યક્તિઓ સામે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ખેડા એસ.ઓ.જી પીઆઈ ડી.એન.ચુડાસમા ફરીયાદી બન્યા છે. તમામ આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

આરોપીઓના નામ

  • નડીયાદના યોગેશભાઈ પારૂમલ સિંધી
  • બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોરભાઈ સાકળભાઈ સોઢા
  • ઈશ્વરભાઈ સાંકળભાઈ સોઢા 
  • વડોદરાના નીતીન કોટવાણી 
  • ભાવેશ સેવકાણી 

ખેડાના ડીએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આ આરોપીઓ દ્વારા KALMEGHASAVA ASAVA ARISHTA નામની આયુર્વેદીક ઔષધી તરીકે વપરાતી પ્રોડક્ટની ખોટા અને બનાવટી લેબલ લગાવેલી બોટલો મંગાવી વેચાણ કરાતું હતું. આ બોટલોમાં રહેલ પીણું મીથાઇલ આલ્કોહોલ યુક્ત હોવાનુ અને આ પીણું પીવાથી પીનાર વ્યક્તિને શારીરીક નુકશાન થઇ શકે છે. તમામ સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૨૮, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૭૪, ૨૭૫, ૨ ૭૬, ૩૪, ૨૦૧ તથા ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ)મુજબ ગુનો નોંધાયો છે. નડિયાદ તાલુકા ના બિલોદરા ગામ ખાતે 55 થી વધુ માણસોએ આર્યુવેદિક સીરપ પીધું હતું, જેમાંથી બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામના પાંચ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ હોસ્પિટલ સારવાર હેઠળ છે.

હાલ સમગ્ર કેસમાં ત્રણની ધરપકડ કરાઈ છે. જેઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે. સિરપ વેચનાર કિશોર સોઢા કિરાણા સ્ટોર ચલાવે છે, કિશોર સોઢાના ભાઈ ઈશ્વર ભાઈ પણ દુકાને વેચતા હતા. યોગેશ સિંધા નામના વ્યક્તિ પાસેથી સિરપ લાવવામાં આવ્યા હતા. જે વડોદરાના નિતિન અને ભાવેશ પાસેથી લાવવામાં આવ્યા હતા. સિરપ વડોદરા દિવાળી પહેલાં મેળવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news