કેરીના શોખીનોને મોજ-એ-દરિયા! કેરીના ભાવમાં ધરખમ ઘટાડો થતા લેવા માટે પડાપડી

આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે.

કેરીના શોખીનોને મોજ-એ-દરિયા! કેરીના ભાવમાં ધરખમ ઘટાડો થતા લેવા માટે પડાપડી

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો થયો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા થઈ ગયો છે. અગાઉ પેટી દીઠ 1200 રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200થી 2600 રૂપિયા છે. અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં મળે છે. સુંદરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની આશા છે.

ઉલ્લેખનીય છેકે, ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ફળોનો રાજા અને સૌ કોઈના પ્રિય ફળ કેરીની શરૂઆત થવાની છે, ત્યારે સૂકા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 10,900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે તો કમોસમી વરસાદના મારના કારણે 4500 હેક્ટર જેટલા વિસ્તારમાં આંશિક નુકસાની થઈ છે. 

ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક બચ્યો છે તે ખેડૂત આ વર્ષે પૈસાદાર બની જશે કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ નહીં વેંચી શકે અને જેની પાસે તે માલ છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કચ્છની કેસર કેરીની વાત કરતા હોય છે ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.

કેરીની નિકાસ અંગે વાતચીત કરતાં ખેડૂતે જણાવ્યું હતું કે, આમ તો સરકાર ખેડૂતો સાથે જોડાયેલ જ છે પરંતુ જ્યારે નિકાસની વાત આવે છે ત્યારે આ વર્ષે પાક પણ ઓછો થશે ત્યારે ખેડૂતો પણ ઈચ્છે છે કે નિકાસ વખતે કાર્ગો માટે સરકાર ખેડૂતોને સબસિડી આપે તો સરકાર તો સબસિડી આપશે પરંતુ તેનો લાભ વેપારી લઈ લે છે અને સબસિડીનો લાભ ખેડૂતોને નથી મળતો અને વેપારીઓ તેનો લાભ લઈ લે છે. આ વર્ષે કચ્છની કેસર કેરીનો ભાવ પ્રતિ 10 કિલો 700 થી 1200 રૂપિયા મળે તેવી આશા છે.ઉપરાંત કચ્છની કેસર કેરીનો સ્વાદ જ એવો હોય છે કે આટલા ભાવમાં તો વેંચાણ આરામથી થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news