ગુજરાતના આ ધારાસભ્યને કોણે એકલા પાડ્યા! વોટ્સએપ મેસેજમાં છલકાવ્યું દર્દ

Unjha MLA Kirit Patel Statement : ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના ગ્રુપમાં કરેલો ગર્ભિત મેસેજથી રાજકીય ગરમાવો... વોટ્સએપ મેસેજમાં લખ્યુ- સાચા વ્યક્તિને એકલા પાડી, જુઠ્ઠા લોકો પોતાના ધાર્યાં કામ પાર પાડે છે. કિરીટ પટેલ સંગઠનથી નારાજ હોવાની ચર્ચા... 
 

ગુજરાતના આ ધારાસભ્યને કોણે એકલા પાડ્યા! વોટ્સએપ મેસેજમાં છલકાવ્યું દર્દ

Mehsana News મહેસાણા : મહેસાણાના ઊંઝા ધારાસભ્યનો મેસેજ ચર્ચાસ્પદ બન્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે વડનગર ભાજપ ગ્રુપમાં કરેલો મેસેજ ચર્ચાનું કારણ બન્યો છે. ‘સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે’ આવો મેસેજ તેમણે ગ્રૂપમા કરતા ચર્ચા વહેતી થઈ છે. આ મેસેજ અનેક સંકેત આપે છે. શુ કિરીટ પટેલ સંગઠનથી નારાજ કે પછી અન્ય કોઈ કારણ છે. વડનગર શહેર ભાજપ સંગઠન નામના વોટ્સપ ગ્રુપમાં ધારાસભ્ય દ્વારા આ મેસેજ કરાયો હતો. 

ગુજરાત ભાજપમાં આંતરિક ડખા વધી રહ્યા છે. આ આંતરિક ડખા હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ક્યાંક દાદાગીરી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે મહેસાણામાં ઊંઝાના ધારાસભ્યનો એક મેસેજ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ઊંઝા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલે વડનગર ભાજપના એક ગ્રુપમાં એવો મેસોજ કર્યો કે, અનેક સવાલો ઊભા થયા છે. 

શું મેસેજ કર્યો
ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર ભાજપના વૉટ્સએપ ગ્રુપ મેસેજ કર્યો હતો કે, " સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે." 

આવુ કિરીટ પટેલે કેમ કહ્યું અને કયા સંદર્ભે કહ્યુ તે અંગે વાતો વહેતી થઈ છે. આખરે કિરીટ પટેલને કોના માટે નારાજગી છે. કિરીટ પટેલનો આ મેસેજ કઈ બાબત પર ગર્ભિત ઈશારો કરી રહ્યો છે તે સમય આવ્યે જ ખબર પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news