યુવતિને પ્રેમજાળમાં ફસાવી બનાવી હવસનો શિકાર, કોર્ટે આરોપીના બે દિવસના મંજૂર કર્યા રિમાન્ડ

મોરબીમાં પરિણીત કારખાનેદારે પ્રેમજાળમાં ફસાવીને યુવતીને હવસનો શિકાર બનાવવામાં આવી છે અને આ યુવતી સાથે બોગસ લગ્ન કરીને પરિણીત કારખાનેદાર દ્વારા યુવતીની સાથે તેની પત્નીની જેમ જ અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.

યુવતિને પ્રેમજાળમાં ફસાવી બનાવી હવસનો શિકાર, કોર્ટે આરોપીના બે દિવસના મંજૂર કર્યા રિમાન્ડ

હિમાશું ભટ્ટ, મોરબી: મોરબીમાં પરિણીત કારખાનેદારે પ્રેમજાળમાં ફસાવીને યુવતીને હવસનો શિકાર બનાવવામાં આવી છે અને આ યુવતી સાથે બોગસ લગ્ન કરીને પરિણીત કારખાનેદાર દ્વારા યુવતીની સાથે તેની પત્નીની જેમ જ અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જો કે યુવતીને કારખાનેદાર પરિણીત હોવાની જાણ થતા તેને કારખાનેદાર તેમજ તેની પત્નીની સામે મોરબીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે કારખાનેદારની ધરપકડ કરી છે.

કારખાનામાં નોકરી કરવા માટે આવતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બોગસ લગ્ન અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર સોસાયટીમાં મામાના ઘરે રહેતી યુવતી થોડા વર્ષો પહેલા સિરામિકના કારખાનામાં કામ કરવા માટે જતી હતી. ત્યારે મોરબી શહેરના કેનાલ રોડ ઉપર આવેલ પુષ્કર એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા નામના યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તે સમયે નયને તે પરિણીત હોવાની ઓળખ છુપાવી હતી. 

બાદમાં તેને યુવતીની સાથે દ્વારકા જિલ્લાના ધીળકી ગામે આવેલ રાંદલ માતાજીના મંદિરે વર્ષ 2016માં માથામાં સિંદૂર ભરી અને મંગળસૂત્ર બાંધીને ઇશ્વરની સાક્ષીએ લગ્ન કર્યા હતા અને યુવતી સાથે ઠગાઇ કરીને ભોગ બનેલી યુવતીને કાયદેસરના લગ્ન થયા હોવાનું કહીને એક નહી અનેક વખત પતિ-પત્નીની જેમ તેની સાથે જુદીજુદી જગ્યાએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

હવસનો શિકાર બનેલી યુવતીના કહેવા પ્રમાણે તે તેના મામાના ઘરે યમુના નગરમાં હતી. ત્યારે ત્યાં કારખાનેદાર નયનભાઈએ તેની સાથે બોગસ લગ્ન કર્યા હતા. તે આવ્યા હતા અને બે લાફા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે યુવતી કારખાનામાં રીસેપ્શનિષ્ટ તરીકે નોકરી કરવા માટે જતી હતી. ત્યારે આરોપી કારખાનેદાર અને યુવતી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને યુવતીને વિશ્વાસમાં લેવા માટે તેની સાથે બોગસ લગ્ન પણ કરવામાં આવ્યા હતા. 

ત્યારબાદ પરિણીત યુવાનની કાયદેસરની પત્ની ચેતનાબેનએ આરોપી નયનભાઈ સાથે છૂટાછેડા લઇ લેવા માટેનો યુવતીને ભરોસો આપ્યો હતો, જો કે છૂટાછેડા લીધા ન હતા. આમ બન્ને જણાએ સાથે મળીને યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભોગ બનેલી યુવતીએ કારખાનેદાર અને તેની પત્ની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા નામના કારખાનેદારનની ધરપકડ કરી આરોપીને રીમાન્ડની માંગણી સાથે પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ દરમ્યાન બોગસ લગ્ન કરીને યુવતીને આરોપી કયા કયા લઇ ગયો હતો અને તેની સાથે શરીર સબંધો બાંધ્યા હતા. તે અંગેના પુરાવા પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news