ઘરકંકાસે પરિવાર ઉજાડ્યો, માતાએ બે માસૂમ બાળકો સાથે કૂવામાં પડી આપઘાત કર્યો

ઘર કંકાસના કારણે ન જાણે કેટલાક કુટુંબો વેરવિખેર થઈ જાય છે. આવો જ એક બનાવ ગુજરાતના સાબરકાંઠામાં જોવા મળ્યો.

ઘરકંકાસે પરિવાર ઉજાડ્યો, માતાએ બે માસૂમ બાળકો સાથે કૂવામાં પડી આપઘાત કર્યો

શૈલેશ ચૌહાણ, સાબરકાંઠા: ઘર કંકાસના કારણે ન જાણે કેટલાક કુટુંબો વેરવિખેર થઈ જાય છે. આવો જ એક બનાવ ગુજરાતના સાબરકાંઠામાં જોવા મળ્યો. જ્યાં એક માતાએ બે માસૂમ ભૂલકાઓ સાથે કૂવો પૂર્યો. આ અંગે વડાલી પોલીસ સ્ટેશને બે ફરિયાદ નોંધાઈ છે. 

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વડાલીના ફુદેડામાં આ બનાવ બન્યો છે. જ્યાં ઘરકંકાસના કારણે એક પરિવાર ઉજડી ગયો. ઝઘડાના પરિણામે માતાએ પોતાના બે નાના માસૂમ ભૂલકાઓ કે જેમણે હજુ તો દુનિયા પણ બરાબર જોઈ નહતી તેમને લઈને કૂવામાં પડી આપઘાત કર્યો. આ આપઘાતની ઘટના અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. 

જુઓ LIVE TV

પહેલી ફરિયાદમાં માતા સામે બાળકોની હત્યાનો ગુનો નોંધાયો છે. જ્યારે બીજી ફરિયાદ પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ નોંધાઈ છે. તેમની સામે ઘર કંકાસના કારણે દુષ્પ્રેરણાનો આરોપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news