અંબાલાલ પટેલની ઘાતક આગાહી : વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેજો

Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી... 26થી 28 નવેમ્બર વચ્ચે માવઠું થવાની શક્યતા... સુરતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ થશે....
 

અંબાલાલ પટેલની ઘાતક આગાહી : વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેજો

Gujarat Weather Forecast : ગુજરાતમાં એકસાથે બે ઋતુ જોવા મળશે. ભર ઠંડીમાં માવઠાની સીઝન આવી છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની સીઝન આવી ગઈ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં તારીખ 26થી 28ના રોજ માવઠું થશે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે. તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે, જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ રહેશે તે વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

કમોસમી વરસાદ સામે અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે, તારીખ 24 થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે, જેનાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

કમોસમી વરસાદની સીઝન ખેડૂતો માટે આકરી બની રહેવાની છે. જેથી ગુજરાતભરના ખેડૂતોને ટેન્શન ચઢી ગયું છે. માવઠા સામે પાકનું રક્ષણ કેવી રીતે કરવું તે મોટું ટેન્શન આવી ચઢ્યું છે. આગામી 3 દિવસ માવઠાની આગાહીને પગલે રાજ્યભરના માર્કેટ યાર્ડ સતર્ક બન્યું છે. રાજકોટ, જામનગર સહિતના અનેક યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 થી 28 નવેમ્બર દરમ્યાન કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, આગાહીને પગલે દરેક જિલ્લાના માર્કેટયાર્ડ સતર્ક બન્યા છે. મહુવા માર્કેટયાર્ડમાં 27 નવેમ્બર સુધી જણસી ની આવક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં હજુ સુધી કોઈ જાહેરાત ન કરાતા ખેડૂતો પોતાની જણસી લઈને વેચાણ અર્થે માર્કેટયાર્ડ આવી રહ્યા છે. હાલ કપાસ, ડુંગળી અને મગફળી સાથે ઘઉં, ચણા સહિતની જણસ પણ ખેડૂતો મોટા પ્રમાણમાં લાવી રહ્યા છે. પરંતુ ભાવનગર માર્કેટયાર્ડમાં પૂરતી સુવિધાના અભાવે ખેડૂતોનો માલ માવઠાથી પલળે એવી પુરી શક્યતાઓ જોવાઈ રહી છે. અહીં ખેડૂતોને પૂરતા શેડ નહીં હોવાના કારણે પોતાનો કપાસ, મગફળી સહિતનો પાક ખુલ્લામાં ઉતારવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમે પાક લઈને માર્કેટયાર્ડ આવીએ છીએ. પરંતુ પૂરતી સુવિધા નહીં મળતાં માલ ખુલ્લામાં ઉતારવો પડી રહ્યો છે, જેના કારણે અમારો માલ પલળી જવાની સંભાવના છે. કમોસમી વરસાદ વરસે તો પલળી ગયેલા માલના પૂરતા ભાવ પણ અમને મળતાં નથી એવી વ્યથા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news