Amrit Bharat Station Yojana: ભરૂચ-પાલનપુર, સુરેન્દ્રનગર સહિત આ 21 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે, જાણો શું સગવડો મળશે

Amrit Bharat Station Yojana: અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 21 રેલવે સ્ટેશનો સહિત ભારતના કુલ 508 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ આજે 508 રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટની આધારશીલા રાખી છે. આ પ્રોજેક્ટ પર 24 હજાર 470 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

Amrit Bharat Station Yojana: ભરૂચ-પાલનપુર, સુરેન્દ્રનગર સહિત આ 21 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે, જાણો શું સગવડો મળશે

સપના શર્મા, અમદાવાદ: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે પીએમ મોદીએ 508 રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટની આધારશીલા રાખી છે.  અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ પર 24 હજાર 470 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. 2025 સુધીમાં આ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાનો લક્ષ્યાંક છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ 508 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થશે. જેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રેલવે સ્ટેશનો સામેલ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 508 સ્ટેશનોના પુન:વિકાસની આધારશીલા મૂકી. આ 508 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસનું કામ આગામી 30 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોને સિટી સેન્ટર તરીકે વિક્સિત કરવામાં આવશે. 

ગુજરાતના 21 રેલવે સ્ટેશન
અમૃત ભારત સ્ટેશન યોજના માટે 24470 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.  508 સ્ટેશન વિશ્વકક્ષાના બનાવવામાં આવશે. જેમાંથી ગુજરાતમાં 21 રેલવે સ્ટેશન રી ડેવલપ કરવામાં આવશે. ગુજરાતના 21 રેલવે સ્ટેશન રીડેવલપ કરવા પાછળ 846 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રેલવે સ્ટેશનમાં શોપિંગ ઝોન,ફૂડ કોર્ટ, કીડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે.અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવશે. તમામ સ્ટેશન ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ અને એસકેલેટર તૈયાર કરવામાં આવશે. 

ગુજરાતના આ સ્ટેશનોનો થશે કાયાકલ્પ

  1. અસારવા
  2. હિંમતનગર
  3. સંજાણ
  4. ભચાઉ
  5. કલોલ
  6. સાવરકુંડલા
  7. ભક્તિનગર
  8. કેશોદ
  9. સુરેન્દ્રનગર
  10. ભરૂચ
  11. વિરમગામ
  12. મિયાગામ કરજણ
  13. બોટાદ
  14. ડભોઇ
  15. ન્યુ ભુજ
  16. વિશ્વામિત્રી
  17. પાલનપુર
  18. દેરોલ
  19. પાટણ
  20. ધાંગધ્રાં
  21. પ્રતાપનગર

શું છે આ યોજના
અત્રે જણાવવાનું કે આ યોજનાનું નામ અમૃત  ભારત સ્ટેશન યોજના છે. જે હેઠળ ભારતના લગભગ 1300 પ્રમુખ રેલવે સ્ટેશન હવે અમૃત ભારત સ્ટેશન તરીકે વિક્સિત કરાશે. આજે 508 અમૃત ભારત સ્ટેશનનું કામ શરૂ થઈ રહ્યું છે. જેમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. યુપી, રાજસ્થાનના 55 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે. જ્યારે ગુજરાતના પણ કેટલાક રેલવે સ્ટેશનો સામેલ છે. આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે. વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધી છે. 

પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે દેશ કે ભારત તેના અમૃતકાળમાં નવા સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. આજે ભારતીય રેલ્વેના અધ્યાયમાં નવું ઇતિહાસ રચાઇ રહ્યું છે. આજે 508 અમૃત ભારત સ્ટેશનના નવ નિર્માણ થઇ રહ્યું છે, જેના પાછળ 25 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. જેનો લાભ દેશના લગભગ તમામ રાજ્યોને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news