અમિતાભ બચ્ચન પહોંચ્યા વડોદરા, મહાનાયકની એક ઝલક જોવા દોડ્યા લોકો

અમિતાભ બચ્ચન બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અપાનાર સયાજી રત્ન એવોર્ડ લેવા માટે વડોદરામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બિગબી 32 વર્ષ પહેલા પણ વડોદરાના મહેમાન બની ચૂક્યા છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3000 મહેમાનોની હાજરીમાં બિગબીને આ સન્માન આપવામાં આવશે.

અમિતાભ બચ્ચન પહોંચ્યા વડોદરા, મહાનાયકની એક ઝલક જોવા દોડ્યા લોકો

વડોદરા/ગુજરાત : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરાના મહેમાન બનવાના છે. ત્યારે બોલિવુડના આ મહેમાનને એક ઝલક જોવા માટે આખું વડોદરા આતુર છે. અમિતાભ બચ્ચન બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અપાનાર સયાજી રત્ન એવોર્ડ લેવા માટે વડોદરામાં પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, બિગબી 32 વર્ષ પહેલા પણ વડોદરાના મહેમાન બની ચૂક્યા છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3000 મહેમાનોની હાજરીમાં બિગબીને આ સન્માન આપવામાં આવશે.

બિગ-બીનું આજનું શિડ્યુઅલ

  •  બપોરે 12:40 વાગ્યે વડોદરા પહોંચશે મહાનાયક
  •  એરપોર્ટથી લક્ષ્મીવિલાસ પેલેસમાં ટૂંકુ રોકાણ કરશે
  •  વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરાશે. તેઓ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે બપોરનું ભોજન લેશે.
  •  બપોરે 2:30 વાગ્યે એવોર્ડ સમારોહમાં હાજરી માટે પહોંચશે
  •  2.30થી 3.45 દરમિયાન એવોર્ડ સમારોહમાં રહેશે
  •  ત્યાર બાદ 4.30 કલાકે મુંબઈ જવાના રવાના થશે 

અગાઉ પણ આવ્યા હતા વડોદરામાં
બિગ-બી આ પહેલા પણ વડોદરામાં આવી ચૂક્યા છે. 1986માં ગુજરાત દુષ્કાળ રાહત ફંડ માટે 2 મેના રોજ એક રાહત કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાકાર્ય માટે બિગબી પોતાનું ચાર્ટર્ડ પ્લેન લઈને વડોદરા પહોંચ્યા હતા. ત્યારે પણ તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારે વડોદરામાં 32 વર્ષ બાદ મહાનાયકની એન્ટ્રી થતી હોવાથી તેમને જોવા માટે લોકોના ટોળા ભેગા થશે તે નક્કી.

ઉલ્લેખનીય છે કે, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બે વર્ષથી આ એવોર્ડ આપવામાં કરવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરનારા લોકોની 6 જનની પેનલ દ્વારા એવોર્ડ માટે પસંદગી દ્વારા કરવામાં આવે છે. વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વને ધ્યાને રાખીને કોઈ એક વ્યક્તિની પસંદગી કરાય છે. આ અગાઉ પહેલા વર્ષે ઈન્ફોસીસના નારાયણ મૂર્તિ અને બીજા વર્ષે ટાટા ગ્રૂપના રતન ટાટાને આ એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યાર બાદ હવે ત્રીજા વર્ષે અમિતાભ બચ્ચનની સયાજી રત્ન એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. 

કોને અપાઇ છે એવોર્ડ
એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ એવૉર્ડ એવા મહાનુભાવને આપવામાં આવે છે, જેમની સમાજ પ્રત્યેની ભાવના શ્રેષ્ઠ હોય સાથે રાજવી સયાજી રાવ ગાયકવાડ જેવા ગુણો હોય અને દેશ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન ખાસ ફિલ્ડમાં આપ્યું હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news