લાંબુ-સ્વસ્થ આયુષ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર 25 રૂપિયામાં થશે, એ પણ સોમનાથના સાનિધ્યમાં

Somnath Temple : સોમનાથમાં ભકતો માત્ર 25 રૂપિયામાં કરી શકે છે મહામૃત્યુંજય યજ્ઞ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટની અનોખી સેવા
 

લાંબુ-સ્વસ્થ આયુષ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર 25 રૂપિયામાં થશે, એ પણ સોમનાથના સાનિધ્યમાં

સોમનાથ :આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કહેવામાં આવ્યુ છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે, અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરે છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાય છે, તે પણ માત્ર ₹25 ના ખર્ચે. 

ધાર્મિક વિધિ વિધાન દ્વારા માત્ર 25 રૂપિયામાં રૂપિયામાં યજ્ઞ
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ યજ્ઞ કરવાનું વિચારે છે ત્યારે એક કુશળ પુરોહિત, ઘણી બધી સામગ્રી, અને બીજી ઘણી બધી વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. યજ્ઞ જેટલો મોટો તેટલી જ ભક્તોએ વધુ તૈયારીઓ કરવી પડશે. પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ બધી તૈયારીઓ કરવા સક્ષમ હોય, આ વિચારને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે મહામૃત્યુંજય યજ્ઞની સેવા માત્ર 25 રૂપિયામાં આપવામાં આવી રહી છે. 

શાસ્ત્રો કહે છે કે તીર્થસ્થાનમાં કરવામાં આવતી ભક્તિ અનેક ગણું વધુ પુણ્ય આપે છે. જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.

શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા
શિવના ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે ઋષિ મૃકંડુને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું, પરંતુ ઋષિ મૃકંડુને કહ્યું હતું કે, પુત્ર તેના માટે જન્મેલા અલ્પજીવી હશે. જ્યારે શિવની કૃપાથી ઋષિ મૃકંડુને પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે, આ બાળકની ઉંમર માત્ર 16 વર્ષ હશે. આ સાંભળીને ઋષિ મૃકંડુ ચિંતિત થઈ ગયા, ત્યારે તેમના પત્નીએ કહ્યું કે, જો મહાદેવની કૃપા હશે તો તેઓ આ વિધાનને પણ મુલત્વી રાખશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય હંમેશા શિવની ભક્તિમાં લીન રેહતા. જ્યારે અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે ઋષિ મૃકંડુએ તેમના પુત્ર માર્કંડેયને તેમના ટૂંકા જીવન વિશે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે જો શિવાજી ઈચ્છે તો તે મુલત્વી રાખશે. તેમના પ્રત્યેની માતા-પિતાની ચિંતા દૂર કરવા બાળ માર્કંડેયએ દીર્ઘાયુનું વરદાન મેળવવા માટે શિવજીની ઉપાસના શરૂ કરી, તેમજ આયુષ્યનું વરદાન મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ 

No description available.

અને શિવ મંદિરમાં બેસીને આ મંત્રના અખંડ જપ કરવાનું શરૂ કર્યું. જ્યારે સમય પૂરો થયો ત્યારે યમદૂત માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા, પરંતુ તેમને શિવની તપસ્યામાં લીન જોઈને તેઓ પાછા યમરાજ પાસે આવ્યા અને આખી વાત કહી. પછી યમરાજ પોતે માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા, જ્યારે યમરાજે માર્કંડેય પર પોતાનો પાશ છોડ્યો ત્યારે બાળ માર્કંડેય શિવલિંગને ભેટી ગયા. આવી સ્થિતિમાં યમરાજનો પાશ શિવલિંગ પર પડ્યો. પોતાના ભક્ત પર યમરાજના આક્રમણથી શિવ ખૂબ ગુસ્સે થયા. અને ભગવાન શિવ બાળ માર્કંડેયને યમરાજથી બચાવવા પ્રગટ થયા. યમરાજે તેમને વિધિના વિધાનની યાદ અપાવી, તો શિવજીએ માર્કંડેયને લાંબા આયુષ્યનું વરદાન આપીને વિધિના લેખ બદલી નાખ્યાં. આવી છે મહાદેવના મહામૃત્યુંજય મંત્રની શક્તિ છે, જેનો યજ્ઞ સોમનાથ ખાતે ભક્તો માટે શરૂ કરાયો છે.

No description available.

સોમનાથ ભૂમિમાં મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ મહત્વ
મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. શ્રી કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુંઠ ગયા હતા, ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે. આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્તને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.

યજ્ઞ સેવાનો લાભ લેતા ભક્તોમાં ઉત્સાહ
આ વિશે સોમનાથ મંદિરના પૂજારી શાસ્ત્રી કૃણાલ કાપડિયા જણાવે છે કે, સોમનાથ મહાદેવના દર્શન સાથે જ્યોતિર્લિંગની સામે બેસીને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લેનાર તમામ ભક્તો તેમના હૃદયમાં શીતળતા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. અને અન્ય ભક્તોને પણ અનુરોધ કરે છે કે, તેઓ જ્યારે પણ સોમનાથ આવે ત્યારે મહામૃત્યુંજય યજ્ઞમાં અચૂક જોડાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news