આનંદો! આવતીકાલથી ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે. આવતીકાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓની સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે.

આનંદો! આવતીકાલથી ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

અતુલ તિવારી/અમદાવાદ: માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આવતીકાલ (સોમવાર)થી 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે. આવતીકાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓની સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે. બપોરે 3 વાગ્યાથી 6.15 સુધીમાં ગુજરાતી સહિત અન્ય ભાષાઓની પરીક્ષા લેવાશે. 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ગણિતની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરે 3 થી 6.30 દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની એકમાત્ર વિષયની પૂરક પરીક્ષા 13 જુલાઈના રોજ લેવાશે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ધોરણ 10 માટે 35 બિલ્ડિંગ જ્યારે ધોરણ 12 માટે 17 બિલ્ડિંગ ફાળવાયા છે, જેમાં કુલ 12 હજાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news