કૌભાંડથી ઉર્જા વિભાગમાં પહોંચેલી યુવતીને પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા તેની જ માહિતી નથી, કહે મમ્મીને પુછીને કહું?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધારે વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે. તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારો હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું કે, તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા માટે અપીલ કરી હતી. 

કૌભાંડથી ઉર્જા વિભાગમાં પહોંચેલી યુવતીને પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા તેની જ માહિતી નથી, કહે મમ્મીને પુછીને કહું?

ઉદય રંજન/ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધારે વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે. તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારો હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું કે, તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા માટે અપીલ કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભરતીમાં જ પાસ થયેલી એક હેપ્પી પટેલ નામની યુવતી કે જે અશ્વીન પટેલની ભત્રીજી હોવાનો દાવો કરાઇ રહ્યો છે તેના સુધી ZEE 24 Kalak પહોંચ્યું હતું. આ યુવતી નાયબ હિસાબી ક્લાર્ક તરીકે જીઇબીમાં ફરજ બજાવે છે. જો કે જ્યારે તેને પુછવામાં આવ્યું કે, તમે જે પરીક્ષા પાસ કરી ત્યાં તમારો રેન્ક શું હતો. નોકરીમાં હાજર થયાને માત્ર 8 મહિના જેટલો ઓછો સમય થયો હોવા છતા પણ યાદ નહોતું. આ ઉપરાંત તેને કેટલા માર્ક આવ્યા તે અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, માર્ક હું મારા મમ્મીને પુછીને કહું? જેના પરથી જ સ્પષ્ટ થાય છે કે આ તરૂણી કેટલી ટેલેન્ડેટ છે. તેના જવાબો પરથી જ સાબિત થાય છે કે, આ તરૂણી ખુબ જ મહેનત કરીને પહોંચેલી છે. સમગ્ર ઇન્ટર્વ્યું દરમિયાન તે એક જ વાત આત્મવિશ્વાસથી કહી શકે છે કે, હું મહેનત કરીને અહીં સુધી પહોંચી છું. 

યુવરાજસિંહે જણાવ્યું હતું કે અગાઉ મેં ઉર્જા વિભાગની ભરતીમાં વાત કરી હતી, એ સ્કેમ અત્યારે જે ચલાવે છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ ચાલે છે. હું આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય બીજા નામ આપીશ. ઉર્જા વિભાગમાં તમામ પરિવાર અને સગાઓ સ્કેમ કરી ફરજ બજાવી રહ્યા છે. જેમાં મૂળ વ્યક્તિ દિલીપ ડાહ્યા પટેલ, ગળતેશ્વર, ઈટાળા પ્રાથમિક શાળાના શિક્ષક જેમના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. દિલીપ પટેલના ભાઈ વિજય પટેલ છે. જ્ચારે ધર્મેન્દ્ર પટેલ, બાયડમાં રહે છે, અને તેઓ વચેટિયા છે. વિજય પટેલ, સ્વેત પટેલ પણ વચેટિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news