કોણ છે એ રાજપૂત જેણે રૂપાલાને કહી દીધું કે, લાજ હોય તો ડૂબી મર, કયા મોઢે ઈલેક્શન લડે છે!

Parsottam Rupala : વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો કર્યો વિરોધ.... બેનર્સ અને પોસ્ટર સાથે ક્ષત્રિય સમાજના લોકો મેદાને.... રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયોએ રેલી કાઢી કલેક્ટર ઓફિસે નાખ્યા ધામા
 

કોણ છે એ રાજપૂત જેણે રૂપાલાને કહી દીધું કે, લાજ હોય તો ડૂબી મર, કયા મોઢે ઈલેક્શન લડે છે!

Rajput Boycott BJP : રાજ્યભરમાં ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. ચારેતરફ રૂપાલાને હટાવવાની માંગ ઉઠી છે. ત્યારે વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. બેનર્સ અને પોસ્ટર સાથે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. વડોદરામાં ક્ષત્રિયો રેલી કાઢીને કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજની એ કજ માગ છે રૂપાલાની ટિકિટ કપાય. ટિકિટ નહિ ખેંચાય તો ક્ષત્રિય સમાજ મહાસંમેલન બોલાવાશે. આવામાં વડોદરામાં એક રાજપૂત આગેવાને પરસોત્તમ રૂપાલા માટે કહ્યુ હતું કે, લાજ હોય તો ડૂબી મર. તુ કયા મોઢે ઈલેક્શન લડે છે. 

વડોદરાના આ નેતાએ શું કહ્યું....
વડોદરામાં એક રાજપૂત આગેવાને મીડિયા સામે કહ્યું કે, કોઈની ગરદન વાળી લો અને પછી પાઘડી પહેરાવો એનો કોઈ મતલબ ખરો. અને આટલી બધી અભદ્ર, આટલી ખરાબ ટિપ્પણી આજ દિન સુધી ભારતના ઈતિહાસમાં કોઈ નથી કરી. આની તપાસ કરો, આ મોહંમદ ઘોરીની ઓલાદ તો નથી ને, આવા શબ્દો વાપરનારાઓના અમે ક્ષત્રિયો માથા ઉતારી લઈએ છીએ. અમે તો મોજીની રિસ્પેક્ટ કરીએ છીએ, મોદીજી આ તો તમારા માટે પ્રેમ છે. રૂપાલાને કહીએ છીએ તુ વહેમ ન રાખીશ ભઈ, આ તો મોદીજી માટે પ્રેમ છે એટલે તુ ફરે છે. તને માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો, આની ઉપર બીજું કંઈ ન હોય. તારામાં થોડી શરમ હયા હોય, લાજ હોય તો ડૂબી મર. તુ કયા મોઢે ઈલેક્શન લડે છે. શરમ આવવી જોઈએ તને, કયા મોઢે ઈલેક્શન લડે છે. 

રાજપૂતોને મનાવવા સરકારની બેઠક
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા. 

ચૂંટણી કમિશનરને સોંપાશે રિપોર્ટ 
રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલે આજે જિલ્લા કલેક્ટર ચૂંટણી કમિશનરને રિપોર્ટ અપાશે. આચાર સંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર અને સિટી પ્રાંત અધિકારીએ સતત ત્રણ દિવસ સુધી આ મુદ્દે તપાસ કરી હતી. રૂપાલાના નિવેદન અંગે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજ સુધી કલેક્ટર પ્રભાવ જોશી તપાસ રિપોર્ટ મોકલશે. અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલાશે. 

અમદાવાદ સુધી આગ પહોંચી
પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે વિરોધ યથાવત છે. ત્યારે રાજકોટની આગ અમદાવાદ પહોંચી છે. રાજકોટથી વિરોધની અસર અમદાવાદ સુધી થઈ છે. સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ દર્શાવીને આવેદનન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news