રીક્ષાચાલક સાથે આંખ મળી જતા પત્નીએ પતિ સાથે કર્યું એવું કે...

 ગીરસોમનાથના ઊના નજીકના ખજુદ્રા ગામે આડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. પત્નીએ રીક્ષાચાલક પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. 20 ડિસેમ્બરે મળેલા એક મૃતદેહની સઘન તપા કરતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 
રીક્ષાચાલક સાથે આંખ મળી જતા પત્નીએ પતિ સાથે કર્યું એવું કે...

હેમલ ભટ્ટ/ગીર-સોમનાથ : ગીરસોમનાથના ઊના નજીકના ખજુદ્રા ગામે આડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. પત્નીએ રીક્ષાચાલક પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. 20 ડિસેમ્બરે મળેલા એક મૃતદેહની સઘન તપા કરતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 

ઊનાના ખજુદ્રા ગામે માછીમારી સાથે જોડાયેલ ધીરૂભાઈ પોતાની પત્ની મંજુલા સાથે ત્રણ સંતાનો સાથે રહેતા હતા. ત્યારે ધીરૂભાઈનના પત્ની મંજુલાને રીક્ષા ચાલક જીતુ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધમાં પતિ ધીરૂ નડતરરૂપ બન્યો હતો. ગત તા.20 ડિસેમ્બરના રોજ સવારે ધીરૂભાઈની લોહી નિતરતી લાશ કાળાપાણ અને દાંડી ગામના રસ્તે નાળામાં પડેલી પોલીસને મળી આવી હતી. મૃતક ધીરૂભાઈના માથામાં ઈજાઓ જોવા મળતાં તેમની હત્યાની શંકા ઉપજી હતી. ત્યારે પોલીસે આ મામલે સઘન તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ પત્ની મંજુલા અને તેના પ્રેમી જીતુના નામની વાત મળતાં તેમને ઝડપી આકરી પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા. આમ પત્નીના આડા સંબંધોને કારણે પતિનો ભોગ લેવાયો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં ત્રણ સંતાનો નિરાધાર બન્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news